SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ કલ્પસૂત્ર ત્યાં કમઠને જીવ કે જે સર્પ હતો તે ત્યાંથી મરીને પાંચમી નરકમાં ગયો હતો. નરકમાંથી નીકળીને અનેક ભવોમાં પરિભ્રમણ કરતો તે પ્રદેશમાં કુરંગક નામનો ભીલ બન્યું. મુનિને જોઈને પૂર્વ વેર જાગૃત થયું, બાણ માર્યું, વાગવાથી મુનિ નીચે પડી ગયા તથા સમભાવથી આયુષ્ય પૂર્ણ કર્યું (૭) મધ્યમ ગ્રેવેયકર મુનિ ત્યાંથી મધ્યમ ઝવેયકમાં દેવ બન્યા અને કમઠને જીવે ભીલ, ત્યાંથી મરીને સાતમી નરકમાં ગયો. (૮) સુવર્ણ બહુ ચક્રવર્તી :- મધ્યમ ગ્રેવેયકથી આયુષ્ય પૂર્ણ કરીને મરભૂતિને જીવ જંબુદ્વીપ પૂર્વને મહાવિદેહમાં શુભંકર વિજયના પુરાણપુરમાં કુશલબાહુ રાજાની સુદર્શના રાણીના પુત્ર સુવર્ણ બાહુ ચક્રવર્તી બન્યો, ષખંડના રાજ્યનો ઉપભોગ કર્યા પછી સંયમ ગ્રહણ કર્યો અને ઉગ્ર તપ સાધના કરી. તીર્થકર નામ ગેત્ર ઉપાર્જન યોગ્ય વીસ સ્થાનકનાં સેવન કર્યા. એક વખત નિર્જન વનમાં કાર્યોત્સર્ગ કરીને ઊભા હતા. કમઠને જીવ સાતમા નરકથી નીકળીને તે જ અરણ્યમાં સિંહ બન્યો હતો. તેણે ધ્યાન મુનિને જોયા, પૂર્વ વૈર જાગૃત થયું. મુનિ ઉપર ઝાપટ મારી. મુનિએ તે પીડાને સમભાવપૂર્વક સહન કરીને અત્યંત શુદ્ધ પરિણામોની સાથે આયુષ્ય પૂર્ણ કર્યું. (૯) દશામા દેવલેકમાં મુનિ કે જે મરુભતિને જીવહતે તે ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરીને દસમા દેવલોકમાં વીસ સાગરના આયુષ્યવાળો દેવ બન્ય, કમઠને જીવ કે જે સિંહ હતો તે મરીને નરકમાં ગયા. (૧૦) પાર્શ્વનાથઃ મરૂભૂતિને જીવે દસમા દેવલોકમાંથી ઍવીને વારાણસી નગરીમાં અશ્વસેન રાજાની રાણી વામાદેવીની કુક્ષિમાં ભગવાન પાર્શ્વનાથના રૂપમાં અવતરિત થયે. * જન્મ મૂલ્ય: पासे णं अरहा पुरिसादाणीए तिण्णाणोवगए य वि होत्थाचइस्सामि त्ति जाणइ, चयमाणे न जाणइ, चुए मि त्ति जाणइ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy