SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ કલ્પસૂત્ર ૨૨૪ तप्पभियं च णं समणाणं निग्गंथाणं निग्गंथीण य नो उदिए उदिए पूयासक्कारे पवत्तति ॥ १२९॥ અર્થ : જ્યારથી ક્રૂર સ્વભાવને બે હજાર વરસ સુધી રહેનારે ભસ્મરાશિ નામને મહાગ્રહ ભગવાન મહાવીરના જન્મનક્ષત્ર ઉપર આવ્યું ત્યારથી શ્રમણ નિગ્રંથ અને નિગ્રંથીઓનાં સત્કાર અને સન્માનમાં ઉત્તરોત્તર વૃદ્ધિ થતી નથી. વિવેચનાર કહેવાય છે કે શ્રમણ ભગવાન મહાવીરના પરિનિર્વાણને સમય નિકટ સમજી શકેન્દ્ર આવ્યા અને હાથ જોડીને નિવેદન કર્યું હે નાથ ! આપના ગર્ભ, જન્મ, દીક્ષા અને કેવળજ્ઞાનના સમયે હસ્તત્તરા (ઉત્તરા ફાલ્ગની) નક્ષત્ર હતું અને આ વખતે તેમાં ભસ્મગ્રહ સંક્રાન્ત થનાર છે. તે ગ્રહ બે હજાર વરસ સુધી આપના શ્રમણ-શ્રમણીઓની અભિવૃદ્ધિ ઓછી કરતો રહેશે. તેથી કૃપા કરીને ભસ્મ–ગ્રહ જ્યાં સુધી આપના જન્મનક્ષત્ર ઉપર સંક્રમણ કરે ત્યાં સુધી આપશ્રી રાહ જુઓ. કેમકે તે આપની હયાતિમાં સંક્રમણ કરી જશે તે આપના પ્રબળ પ્રભાવથી સ્વતઃ નિષ્ફળ થઈ જશે તેથી એક ક્ષણ સુધી આપની જીવન ઘડી લંબાવો જેથી આ દુષ્ટ ગ્રહનું ઉપશમન થઈ જાય.૩૨ ઇન્દ્રની પ્રાર્થના પર ભગવાને કહ્યું – “હે ઈન્દ્ર! તમે એ તો જાણો છે કે આયુષ્યમાં એક ક્ષણભર પણ વધારવાની કે ઘટાડવાની શક્તિ કોઈનામાં નથી, છતાં પણ તમે શાસન-પ્રેમમાં મુગ્ધ થઈને આ જાતની ન બની શકે તેવી વાત કરી રહ્યા છો! આગામી દુષમકાળના પ્રભાવથી તીર્થને હાની પહોંચનારી છે તેમાં ભાવિ અનુસાર આ ભસ્મગ્રહ પણ તેનું ફળ દેખાડશે. ૩૬૩ મૂલ્ય:-- जया णं से खुड्डाए जाव जम्मनक्खत्ताओ वीतिक्कंते भविस्सइ तया णं समणाणं निग्गंथाणं निग्गंथीण य उदिए उदिए पूयासक्कारे पवत्तिस्सति ॥ १३०॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy