SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૩ ભસ્મગ્રહ: શક્રની પ્રાર્થના કરીને ત્યાં રહેલા હતા, તેઓએ એવો વિચાર કર્યો કે ભાવ ઉદ્યોત–અર્થાત જ્ઞાનરૂપી પ્રકાશ ચાલ્યો ગયો છે તેથી અમે દ્રવ્ય ઉદ્યત કરીશું. વિવેચનઃ આસો-કારતક કૃષ્ણ અમાવસ્યાની રાત્રિમાં ભગવાન મહાવીર મેલે પધાર્યા. તે રાત્રિ દેવોના આવાગમનથી પ્રકાશિત થઈ ગઈ અઢાર ગણરાજાઓએ તે સમયે પૌષધોપવાસ કર્યો હતો. તેઓએ જોયું કે જ્ઞાનરૂપી દિવ્ય પ્રકાશ ચાલ્યો ગયો છે. સમસ્ત સંસાર અંધકારથી છવાઈ ગયેલ છે તે કારણે દેવોએ દ્રવ્યોદ્યોત કરેલ છે. હવે આપણે ભગવાન મહાવીરના જ્ઞાનના પ્રતીકના રૂપમાં પ્રતિવર્ષ આ દિવસે દીપ જલાવીને પ્રકાશ કરીશું તે દિવસે પ્રકાશ કરવાથી દીપાવલી વર્ષના પ્રારંભ થયો.૬૦ ભગવાનના નિર્વાણુના દુઃખદ વૃત્તાંત સાંભળીને ભગવાનના મોટાભાઈ મહારાજા નંદિવર્ધન શોક-વિહ્વળ થઈ ગયા. તેમના નેત્રેમાંથી આંસુઓની વેગવંતી ધારા પ્રવાહિત થવા લાગી. મન ખિન્ન થઈ ગયું. બહેન સુદર્શનાએ તેમને પોતાને ત્યાં બોલાવ્યા અને સાંત્વન આપ્યું ત્યારથી ભાઈબીજના રૂપમાં તે પર્વ સ્મરણ કરવામાં આવે છે. ૩૬ – * ભસ્મગ્રહ : શકની પ્રાર્થના :મલ્ટ: जं रयणिं च णं समजावसव्वदुक्खप्पहीणे तं रयणिं च णं खुदाए भासरासी महग्गहे दोवाससहस्सट्टिई समणस्स भगवओ महावीरस्स जम्मनक्खत्तं संकंते ॥ १२८॥ અર્થ : જે રાત્રે શ્રમણ ભગવાન મહાવીર કાળધર્મને પ્રાપ્ત થયા યાવત તેમનાં સંપૂર્ણ દુ:ખ નષ્ટ થઈ ગયા તે રાત્રે ભગવાન મહાવીરના જન્મ-નક્ષત્ર ઉપર શુદ્ર ક્રૂર સ્વભાવને બે હજાર વરસ સુધી રહેનારો ભસ્મરાશિ નામને મહાગ્રહ આવ્યા હતા. +: जप्पमिइं च णं से खुड्डाए भासरासी महग्गहे दो वाससहस्सट्टिई समणस्स भगवओ महावीरस्स जम्मनक्खत्तं संकते Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy