SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૨ કલ્પસૂત્ર આવતાં જ શુકલ ધ્યાન ધ્યાવતાં ઘાતિકર્મોને નષ્ટ કરવા લાગ્યા. અનુરાગની કડીને તેડી નાખી અને તે જ રાત્રિના અંતમાં કેવળજ્ઞાન-કેવળદર્શનના ધારક બની ગયા. કારતક અમાવાસ્યાની પ્રત્યુષકાલ રાત્રિમાં ભગવાન મહાવીરનું પરિનિર્વાણ થયું અને અંતિમ રાત્રિમાં ગૌતમ સ્વામીએ ચાર કર્મોનો ક્ષય કરીને કેવળ જ્ઞાન, કેવળદર્શન પ્રાપ્ત કરી લીધું. તે કારણથી કારતક સુદ ૧ ગૌતમ પ્રતિપદા” (પડવો)ના નામથી પ્રખ્યાત છે. આ દિવસે અરૂણોદયના પ્રારંભથી જ નૂતન વર્ષને આરંભ થાય છે. ૩૫૪ - તે પછી બાર વર્ષ સુધી કેવળજ્ઞાની ગૌતમ ભવ્ય પ્રાણીઓને પ્રતિબંધ દેતાં વિચરે છે. ગોતમને કેવળજ્ઞાન થતાં સમગ્ર સંધના સંચાલનનું નાયત્વ આર્ય સુધર્મા ઉપર આવ્યું. અગિયાર ગણધરોમાંથી અગ્નિભૂતિ વગેરે નવ ગણધર તે ભગવાનની સામેજ નિર્વાણને પ્રાપ્ત કરી ચૂકેલ હતા તેથી સુધર્માએ જ ગણનું નેતૃત્વ કર્યું. ગૌતમ મેક્ષ ધામે પધાર્યા પછી આર્ય સુધર્માને કેવળજ્ઞાન થયું અને આઠ વરસ સુધી કેવળી અવસ્થામાં રહ્યા. સુધર્માને કેવળજ્ઞાન થતાં આર્ય જખુ સ્વામીએ સંઘનું સંચાલન કર્યું. ૩૫૯ મૂલ્ય – जं रयणिं च णं समणे जाव सव्वदुक्खप्पहीणे तं रयणिं च णं नव मल्लई नव लिच्छई कासीकोसलगा अट्ठारस वि गणरायाणो अमावसाए पाराभोयं पोसहोववासं पट्ठवइंसु, गते से भावुज्जोए दव्वुज्जोयं करिस्सामो॥ १२७॥ અર્થ : જે રાત્રે શ્રમણ ભગવાન મહાવીર કાળધર્મને પ્રાપ્ત થયા યાવત તેમનાં સંપૂર્ણ દુઃખ નષ્ટ થઈ ગયા તે રાત્રે કાશીદેશના મલ્લવીવંશીય નવ ગણરાજા અને કૌશલ દેશના લિચ્છવી વંશીય બીજા નવ ગણરાજા આ રીતે અઢાર ગણરાજા અમાવસ્યાના દિવસે આઠ પહોરને પૌષધોપવાસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy