SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૧ પરિનિર્વાણ પ્રેમબંધન હતું તે વિચ્છિન્ન થઈ ગયું અને ઇન્દ્રભૂતિ અણગારને અંતરહિત ઉત્તમોત્તમ યાવત કેવળજ્ઞાન અને કેવળદર્શન ઉત્પન્ન થયું. વિવેચન : ઇન્દ્રભૂતિ ગૌતમ ભગવાન મહાવીરના અગિયાર ગણધરોમાં પ્રમુખ હતા. તેઓ પ્રકાંડ પંડિત, ચૌદ પૂર્વના જ્ઞાતા ચતુર્ણાની સર્વાક્ષર સન્નિપાતી તેજેલબ્ધિના ધારક અને ઘેર તપસ્વી હતા.૩૫૬ આગમ સાહિત્યને અધિકાંશ ભાગ ગૌતમની જ જિજ્ઞાસાનું સમાધાન છે, તેને જ જ્ઞાન-ગંગાના મૂળ ઉદ્ગમસ્ત્રોત કહી શકાય છે. ભગવાન મહાવીર પ્રત્યે ગૌતમને અત્યધિક અનુરાગ હતે. એક વખત તેઓ પિતાનાથી લધુ-શ્રમણને કેવળજ્ઞાનની ઉપલબ્ધિ થતી જોઈને ચિંતિત થઈ ગયા, કે હજી સુધી મને કેવળજ્ઞાન કેમ ન થયું ?” તેથી ભગવાને કેવળજ્ઞાનની અનુપલબ્ધિનું કારણ બતાવતાં કહ્યું – ગૌતમ! ચિરકાળથી તું મારા નેહમાં બંધાયેલો છે, ચિરકાળથી તું મારી પ્રશંસા કરી રહેલ છે, મારું અનુસરણ કરનાર રહ્યો છે. અનેક દેવ અને મનુષ્યભવમાં આપણે સાથે સાથે રહેલા છીએ અને અહીંથી આયુષ્ય પૂર્ણ કરીને પણ બન્ને એક જ સ્થાને પહોંચીશું.” ૩૫૭ પ્રભુનું સમાધાન મેળવીને ગૌતમ અત્યધિક આલાદિત થયા. પરિનિર્વાણ પહેલાં ભગવાને ગૌતમને પાસેના ગામમાં દેવશર્મા બ્રાહ્મણને પ્રતિબોધ આપવા માટે મોકલી દીધા હતા. પાછા વળીને તેઓ મહાવીરના ચરણોમાં પહોંચવા માગતા હતા પરંતુ સંધ્યા થઈ જવાથી ત્યાં રોકાઈ ગયા. રાત્રે ભગવાનના નિર્વાણના સમાચાર સાંભળી ગૌતમ ભાવવિહવળ થઈને વિચારોના સાગરમાં ડૂબકી લગાવવા લાગ્યા. “હે પ્રભો! નિર્વાણુના દિવસે કયા કારણથી આપે મને દૂર કલ્યો? હે પ્રભે! આટલા વખત સુધી હું આપની સેવા કરતો રહ્યો, અંતસમયમાં મને દર્શનથી કેમ વંચિત રાખ્યો?” ...... કેટલીક ક્ષણ સુધી આવા પ્રકારના ભાવપ્રવાહમાં વહ્યા બાદ વિચારોને પ્રવાહ બદલાઈ ગયો. “અરે હું આ શું વિચારી રહ્યો છું! ભગવાન વીતરાગ હતા. તેઓ રાગ અને દ્વેષથી મુક્ત હતા. હું તેમના ઉપર મોહ રાખી રહેલ હતો પરંતુ તેઓ મહમુક્ત હતા” આવા પ્રકારના વિચાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy