SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૬ કલ્પસૂત્ર સ્થવિરોએ કાલસ્વષિને મહાવીરના દર્શનને પરિચય આપ્યો. પરિચય પ્રાપ્ત કરી તેઓ પણ મહાવીરના શાસનમાં આવ્યા.૩૪૦ ભગવાન મહાવીરની પરિષદમાં અન્યતીથિક સંન્યાસીએ પણ ઉપસ્થિત રહેતા હતા. આર્ય સ્કંદક૭૪૧ અબડ, પુદગલ અને શિવ વગેરે પરિવ્રાજકેએ ભગવાનને અનેક પ્રશ્નો પૂછયા અને તેનું સમાધાન મળતાં ભગવાનના શિષ્ય બની ગયા. ભગવાન મહાવીર સૂક્ષ્માતિસૂક્ષ્મ અને ઊંડા ગહન પ્રનોનો પણ અનેકાન્ત દષ્ટિ વડે શીધ્ર ઉકેલ લાવી આપતા હતા. મિલ બ્રાહ્મણ ) તંગિયા નગરીના શ્રમણોપાસક,E રાજકુમારી જયન્તી " માકન્દી રાહ H પિંગલ વગેરેના પ્રશ્નોના ઉત્તર આ વાતના સ્પષ્ટ સાક્ષી છે. ભગવાનના ઉપદેશથી આઠ રાજાઓએ રાજ્યથી છેડીને સંયમ અંગીકાર કર્યો હતો: (૧) વીરાંગક (૨) વીરયશ (૩) સંજ્ય ૪ર (૪) એણેયક (૫) સેપA (૬) શિવB (૭) ઉદયન (2) શંખ C કાશીવર્ધન, ૩૪૩ મગધાધીશ સમ્રાટ શ્રેણિકના અભયકુમાર વગેરે અનેક પુત્રોએ ભગવાનની પાસે સંયમ લીધો.૪૪ શ્રેણિકની સુકાલી, મહાકાલી, કૃષ્ણ વિગેરે દસ રાણિયાએ પણ પ્રવ્રજ્યા લીધી. ૪૫ ધન્ના ૩૪૬ અને શાલિભદ્ર ૩૭ જેવા ધનકુબેરોને પણ સંયમ માર્ગ સ્વીકાર કર્યો. આદ્રકુમાર ૩૪૮ જેવા આર્યેતર જાતિના યુવકોએ અને હરિકેશી ૩૪૯ જેવા ચાંડાલ જતીન મુમુક્ષુઓએ અને અર્જુનમાલાકાર ૩૫૦ જેવા હત્યારાઓએ પણ પિતાની વૃત્તિયોમાં ઉત્ક્રાંતિ કરીને ભગવાનના શ્રમણસંધમાં સ્થાન મેળવ્યું હતું. વૈશાલી ગણરાજ્યના પ્રમુખ મહારાજા ચેટક મહાવીરના મુખ્ય શ્રાવક હતા.૩૫ તેમના છએ જમાઈકપર ઉદાયન, દધિવાહન, શતાનીક, ચન્દ્રપ્રદ્યોત, નન્દિવર્ધન, તથા શ્રેણિક અને નવ મલ્લી અને નવ લિચ્છવી આ અઢારે ગણુનરેશો પણ ભગવાનના પરમ ભક્ત હતા.૩૫૩ ભગવાને સ્ત્રી-પુરુષ, બ્રાહ્મણ, , ક્ષત્રિય, વૈશ્ય, આર્ય-અનાર્ય વગેરે બધાને કોઈ પણ જાતના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy