SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૭ ઈન્દ્રભૂતિ અપ્રગટ હોય તે બધાને ભગવાન જાણે છે. ભગવાન અહંત થયા તેથી તેમનાથી હવે કંઈ પણ રહસ્ય છુપાયેલ રહ્યું નથી. અરહસ્યના ભાગી થયા તેમની પાસે કરડો દે સેવામાં જોડાયેલા રહેવાના કારણે હવે એકાંતમાં રહેવાની સ્થિતિ ન રહી. આ પ્રમાણે અર્વત થયેલા, ભગવાન તે કાળે માનસિક, વાચિક અને કાયિક પ્રવૃત્તિમાં રહેતાં સમગ્ર લોકના સમસ્ત જીવોના સંપૂર્ણ ભાવને જાણતા દેખતાં વિચરે છે. વિવેયના મધ્યમ પાવાથી પ્રસ્થાન કરીને ભગવાન જંભિયગ્રામની નિકટ જુવાલિકા સરિતાના ઉત્તર તટ ઉપર પહોંચ્યા. સાધનામાં બાર વરસ પૂરાં થઈ ચૂક્યા હતાં. તેરમુ વરસ ચાલી રહેલ હતું. ૩૨૨ વૈશાખ માસ હતે. સુદ ૧૦ ના દિવસને અંતિમ પહાર હતો. ભગવાન સઘન શાલવૃક્ષ નીચે ગદેહિક આસનથી આતાપના લઈ રહ્યા હતા. આત્મમંથન ચરમ સીમા ઉપર પહોંચી રહેલ હતું. આત્મા ઉપરથી ઘનઘાતી કર્મોનું આવરણ ખસ્યું, સાધના સફળ થઈ કેવળજ્ઞાન–કેવળદર્શન પ્રગટ થયું. ભગવાન હવે જિન અને અરિહંત બની ગયા, સર્વજ્ઞ અને સર્વદશી બની ગયા. એને એક શાશ્વત નિયમ છે કે જે સ્થાન ઉપર કેવળજ્ઞાનની ઉપલબ્ધિ થાય ત્યાં તીર્થકર એક મુહૂર્ત સુધી રોકાય છે. ભગવાન પણ એક મુહૂર્ત સુધી રોકાયા. ૨૩ ભગવાનને કેવળ જ્ઞાન ઉત્પન્ન થતાં જ દેવો આવ્યાં, સમવરણની રચના કરી, પરંતુ દેવે વિરતિ યોગ્ય ન હોવાના કારણે ભગવાને એક ક્ષણમાત્ર ઉપદેશ આપે. ત્યાં મનુષ્યની ઉપસ્થિતિ ન હતી તેથી કોઈએ પણ વિરતિરૂપ ધર્મ –ચારિત્રધર્મને સ્વીકાર ન કર્યો. આ પ્રકારની ઘટના જૈનાગમમાં એક આશ્ચર્ય રૂપમાં અંકિત કરવામાં આવી છે. કોઈ એમ કહે છે કે મનુષ્યો ત્યાં હતા પરંતુ વિરતિના પરિણામ માટે યોગ્ય કઈ વ્યક્તિ ત્યાં ન હતી. –* ઇન્દ્રભૂતિ તે દિવસોમાં મધ્યમપાવાપુરીમાં એમિલ નામના ધન દ્રય બ્રાહ્મણ પિતાને ત્યાં એક વિરાટ યજ્ઞનું આયોજન કરી રહેલ હતા. તે યજ્ઞમાં ભાગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy