SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ કલ્પસૂત્ર ભગવાનને બાર વરસ વ્યતીત થઈ ગયા. તેરમા વરસના મધ્યભાગ અર્થાત ગ્રીષ્મઋતુને બીજે માસ અને ચૂંથો પક્ષ ચાલતો હતો, તે ચૂંથો પક્ષ અથવા વૈશાખ માસને શુકલ પક્ષ તે વૈશાખ માસના શુકલ પક્ષના દસમના દિવસે જ્યારે છાયા પૂર્વ તરફ ઢળી રહેલ હતી, પાછલી પારસી પૂરી થઈ ત્યારે સુવ્રત નામને દિવસ હતો, વિજય નામનું મુહર્ત હતું ત્યારે ભગવાન જંભિકા ગ્રામની બહાર ત્રજુવાલિકા નદીને કિનારે એક ખંડેર જેવા જૂના પુરાણા ચૈત્યથી ૨૫ ને અધિક પાસે કે ન અધિક દૂર એવા શ્યામાક નામના ગૃહપતિના ખેતરમાં શાલવૃક્ષની નીચે ગાદેહિકા આસને અવસ્થિત હતા આતાપના દ્વારા તપ કરી રહેલ હતા. છઠનું તપ હતું. જે સમયે ઉત્તરા ફાલ્ગની નક્ષત્રને યોગ આવ્યો, ભગવાન ધ્યાનમાં મગ્ન હતા તે સમયે ભગવાનને અંતરહિત, ઉત્તમોત્તમ, વ્યાઘાત રહિત, આવરણ રહિત, સમગ્ર અને પરિપૂર્ણ એવું કેવળ જ્ઞાન કેવળ દર્શન ઉત્પન્ન થયું. तए णं से भगवं अरहा जाए जिणे केवली सव्वन्नू सव्वदरिसी सदेवमणुयासुरस्स लोगस्त परियायं जाणइ पासइ, सव्वलोए सव्वजीवाणं आगइं गई ठिई चवणं उववायं तक्कं मणो माणसियं भुत्तं कडं पडिसेवियं अविकम्मं रहोकम्म अरहा-अरहस्सभागी तं तं कालं मणवयणकायजोगे वट्टमाणाणं सव्वलोए सव्वजीवाणं सव्वभावे जाणमाणे पासमाणे વિફા ૧૨૧ . અર્થઃ તે પછી ભગવાન અહંત થયા. જિન, કેવલી, સર્વજ્ઞ અને સર્વદશી થયા. હવે ભગવાન દેવ, માનવ અને અસુર સહિત લોકમાં સંપૂર્ણ પર્યાયે જાણે છે. જુએ છે, સંપૂર્ણ લોકમાં બધા જીવોનું આગમન, ગમન, સ્થિતિ, ચ્યવન, ઉપઘાત, તેમને માનસિક સંક૯૫, ભેજન વગેરે બધી શ્રેષ્ઠ અને કનિષ્ઠ પ્રવૃત્તિઓ પછી ભલે તે (આવિકમ્મ) પ્રગટ હોય કે (રહેકમ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy