SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ * કાનમાં ખીલા: ૨૦૩ આવેલ છે. દીક્ષાગ્રહણ કરવાની સાથે જ તેમણે વજસંકલ્પ કર્યો કે ભવિષ્યમાં મને જે કાંઈ ઘોરાતિઘોર ઉપસર્ગ ઉપસ્થિત થશે, તેને અવિચળ ધૈર્ય અને મને બળની સાથે વિજય કરીશ. વાસંકલ્પ તે જ સાધક જીવનને વિજય સંકલ્પ છે. હાથી, સિંહ, વૃષભ, સુમેરુ અને પૃથ્વીની ઉપમા દ્વારા તેમના અનંત પરાક્રમ અને મને બળને પરિચય કરાવવામાં આવ્યો છે તથા શંખ, શરદ્દ, સલિલ, કમળપત્ર, મહાવરાહ, વાયુ વગેરેની ઉપમાથી ભગવાનની આંતરિક પવિત્રતા, નિઃસંગતા તથા અપ્રતિબદ્ધતાનું દિગ્દર્શન થાય છે. વસ્તુતઃ તેમનું મનોબળ અને જીવનની ઉજ્જવળતા તે અનુપમેય હતી. શ્રમણ ભગવાન મહાવીર નિરંતર પરિભ્રમણ કરનારા હતા. એક સ્થાન પર દીર્ધકાળ સુધી સ્થિર થઈને તેઓ કદી રહેતા નહિ. વર્ષાવાસમાં જીની રક્ષા માટે ચાર માસ સુધી એક સ્થાન પર રહેતા અને આઠ માસ સુધી વિહાર કરતા-આ રીતે આત્મસાધના કરતા હતા. ભગવાનને સાધનાકાળમાં અનેક ઉપસર્ગો આવ્યા. પરંતુ ભગવાન ઉપસર્ગોમાં સર્વદા શાંત રહ્યા. કદી પણ તેમણે રેષ કે વેષ કર્યો નહિ, વિરોધીઓ પ્રત્યે પણ તેમના હૃદયમાં સ્નેહનો સાગર ઉભરાતો જ રહ્યો. વર્ષોમાં, ઠંડીમાં, ગરમીમાં, છાયામાં, આંધી અને તોફાનેમાં પણ તેમને સાધનાદીપ ઝળહળતો જ રહ્યો. દેવ, દાનવ, માનવ અને પશુઓ દ્વારા ભીષણ સંકટો આવવા છતાં પણ અદીનભાવથી અવ્યથિત મનથી અન્સાન ચિત્તથી, મન, વચન અને કાયાને વશમાં રાખીને બધુંએ તેમણે સહન કર્યું. તે વીર સેનાની માફક નિરંતર આગળ વધતા રહ્યા, તેમણે કદી પણ પાછા પગલાં ન કર્યા. ૧૭ નિર્યુક્તિકાર આચાર્ય ભદ્રબાહુ સ્વામીનું મંતવ્ય છે કે બીજા તીર્થકરોની અપેક્ષાએ ભગવાન મહાવીરનું તપકર્મ અધિક ઉગ્ર હતું. જેમ સમુદ્રોમાં સ્વયંભૂરમણ શ્રેષ્ઠ છે, રસમાં ઈશુરસ શ્રેષ્ઠ છે તે જ પ્રમાણે તપ ઉપધાનમાં મુનિ વર્ધમાન જયવંત શ્રેષ્ઠ છે. ૧૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy