SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ કલપસૂત્ર ત્યાંથી ત્યાંથી ભગવાન વાણિજ્યગ્રામ પધાર્યા. ત્યાં આનંદ નામના શ્રમણોપાસકને અવધિજ્ઞાનની ઉપલબ્ધિ થઈ હતી. તે મહાવીરના ચરણમાં પહોંચ્યા અને નમ્ર નિવેદન કર્યું- “પ્રભે! આપને તુરતમાંજ કેવળ જ્ઞાન ઉત્પન્ન થશે.ર૮૭ અહીં યાદ રાખવાનું છે કે ઉપાસકદશાંગ સૂત્રમાં વર્ણવેલ ગાથાપતિ આનંદ અને આ આનંદ ભિન્ન છે. - ભગવાન વાણિજ્યગ્રામથી વિહાર કરીને શ્રાવસ્તી પધાર્યા. વિવિધ પ્રકારના તપ અને યોગક્રિયાઓની સાધના દ્વારા આત્માને ભાવિત કરતા ભગવાને દસમું વર્ષાવાસ ત્યાં જ પૂર્ણ કર્યું. - વર્ષાવાસ પૂરું થયા બાદ “સાનુલઠ્ઠિયસન્નિવેશ” પધાર્યા અને ત્યાં સેળ દિવસના નિરંતર ઉપવાસ કર્યા તથા વિવિધ પ્રક્રિયા દ્વારા ધ્યાનમગ્ન થઈને ભદ્ર, મહાભદ્ર, અને સર્વતોભદ્ર પ્રતિમાઓની આરાધના કરતા રહ્યા. ર૮૯ પારણા કરવા માટે ભગવાન પરિભ્રમણ કરતાં આનંદને ત્યાં પધાર્યા. તેની બહુલા ભૂત્તિકા (દાસી) વધેલું અન્ન બહાર ફેંકવા જેવી નીકળી તેવાજ ભગવાનને દ્વાર ઉપર ઊભેલા જોયા. તેણે પ્રભુ તરફ પ્રશ્વનભરી દૃષ્ટિથી જોયું ત્યારે પ્રભુએ બન્ને હાથ ભિક્ષા માટે પસાર્યા, દાસીએ ભક્તિભાવથી વિભોર થઈને તે વધેલું અન્ન પ્રભુને ભિક્ષામાં આપ્યું અને ભગવાને તે વાસી અન્નથી જ પારણું કર્યું.૯૦ – સંગમના ઉપસર્ગો ભગવાને ત્યાંથી દદ્ધભૂમિ તરફ પ્રસ્થાન કર્યું. પેઢાલગામની પાસે પેઢાલ ઉદ્યાનમાં અમ તપ કરીને અને એક અચિત્ત પુદગળ ઉપર દૃષ્ટિ કેન્દ્રિત કરીને ભગવાન ધ્યાનથ હતા.ર૧ ભગવાનની આવી અપૂર્વ એકાગ્રતા કષ્ટસહિષ્ણુતા, અને અચળ વૈર્યને જોઈને દેવરાજ ઇન્દ્ર ભરસભામાં ગદ્ગદ સ્વરમાં પ્રભુને વંદન કરતાં કહ્યું: “પ્રભો! આપનું ધૈર્ય, આપનું સાહસ, આપનું ધ્યાન અનેખું છે! માનવ તો શું પણ શક્તિશાળી દે અને દાન પણ આપને આવી સાધનાથી વિચલિત કરી શક્તા નથી.” ૨૯૨ શક્રની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy