SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ કટપૂતના ઉપદ્રવ ગૃહમાં કેદ કરી લીધા, ‘વિજયા' અને ‘પ્રગલ્ભા' નામની પરિવ્રાજિકાઓને ખબર પડી એટલે તેઓ ત્યાં પહોંચી ગઈ અને અધિકારીઆને ભગવાનના પરિચય આપ્યા. અધિકારીએ પેાતાના અજ્ઞાન ઉપર પશ્ચાત્તાપ કરતાં ભગવાનને મુક્ત કરી દીધા, ૨૦૧ ભગવાને ત્યાંથી વૈશાલી તરફ વિહાર કર્યા, ગેાશાલકે ભગવાન મહાવીરને કહ્યું કે મને આપની સાથે રહેતાં અનેક કષ્ટકારી દુ:સહ યાતના ભાગવવી પડે છે. પેટ પૂરતું ખાવા પણ મળતું નથી. આપ તેનું નિવારણ પણ કરતા નથી તેથી હું હવે આપનાથી જુદા વિચરીશ.” સાંભળી ભગવાન મૌન રહ્યા. ગેાશાલકે રાજગૃહી તરફ પ્રસ્થાન કરી દીધું. ૨૭૨ આ વાત ભગવાન અનુક્રમે વિહાર કરતાં કરતાં વૈશાલી પધાર્યા અને લુહારના યંત્રાલય (કાઢ) માં ધ્યાન ધરીને સ્થિર થયા. તે લુહાર છ માસથી અસ્વસ્થ હતા. ભગવાનના આવવાના બીજાજ દિવસથી કાંઈક સ્વસ્થતાના અનુભવ થતાં તે પેાતાનાં સાધના લઈને યત્રાલયમાં પહોંચ્યા ત્યાં એકાન્તમાં ભગવાનને ધ્યાન મુદ્રામાં જોઈને તેણે અમ`ગળ માની હથોડા લઈને મહાવીર ઉપર પ્રહાર કરવા જેવા તે આગળ વધ્યા તેવા જ દિવ્ય દેવશક્તિથી સહસા ત્યાં જ સ્તબ્ધ થઈ ગયા. ૩ ૧૮૫ વૈશાલીથી વિહાર કરી ભગવાન ગ્રામ–સન્નિવેશ પધાર્યા અને વિભેલક યક્ષના યક્ષાયતનમાં ધ્યાન કર્યું, ભગવાનના તામય જીવનથી યક્ષ પ્રભાવિત થઈને ગુણકીન કરવા લાગ્યા. ૨૭૪ * કટપૂતનાના ઉપદ્રવ ભગવાન મહાવર ગ્રામક સન્નિવેશથી વિહાર કરીને શાલીશીના રમણીય ઉદ્યાનમાં પધાર્યા, મહા મહિનાના સણસણતા સમીર વહેતા હતા. સાધારણ માનવા ઘરેમાં ગરમ કપડાં પહેરવા છતાંય કાંપતાં હતાં. પરંતુ તેવી ઠંડીથી ભરેલી રાત્રિમાં પણ ભગવાન વૃક્ષની નીચે ધ્યાન ધરીને ઊભા હતા. તે સમયે ટપૂતના નામની વ્યન્તરદેવી ત્યાં આવી, ભગવાનને ધ્યાનની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy