SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ કલ્પસૂત્ર ૧૮૪ ત્યાંના ક્રર માણસોએ ભગવાનના સુંદર શરીરને ફાડી ખાધું. તેમના ઉપર વિવિધ જાતના પ્રહારો કર્યા. ભયંકર પરીષહે તેમના માટે ઉપસ્થિત કર્યા, તેમના ઉપર ધૂળ ફેંકી. તેઓ ભગવાનને ઉછાળી ઉછાળીને દડાની માફક પછાડતા. આસન ઉપરથી ધકેલી દેતા તો પણ ભગવાન શરીરના મમત્વથી રહિત થઈને, કોઈ પણ જાતની ઈચ્છા અને આકાંક્ષા વગર સંયમ સાધનામાં સ્થિર રહીને કષ્ટોને શાંતિથી સહન કરતા.૧૭ જેવી રીતે કવચ ધારણ કરેલા શૂરવીરનું શરીર યુદ્ધમાં અક્ષત (ઘવાયા વગરનું) રહે છે તેવી જ રીતે અચેલ એવા ભગવાન મહાવીરે અત્યંત કઠેર કષ્ટોને સહન કરવા છતાં પોતાના સંયમને અક્ષત રાખ્યો.૧૮૨ આ પ્રમાણે સમભાવપૂર્વક ભયંકર ઉપસર્ગો સહન કરીને ભગવાને ઘણાં કર્મોની નિર્જરા કરી નાખી. તેઓ ફરી આર્ય પ્રદેશ તરફ આવી રહ્યા હતા તેવામાં પૂર્ણકલશ સીમા પ્રાન્તમાં બે ચોર મળ્યા. તેઓ અનાર્ય પ્રદેશમાં ચોરી કરવા જઈ રહ્યા હતા. ભગવાનને સામે આવતા જોઈને તેમણે અપશુકન માન્યું. તેથી તેઓ તીક્ષ્ણ હથિયાર લઈને ભગવાનને મારવા માટે ધસ્યા પરંતુ તે વખતે સ્વયં ઈન્દ્ર પ્રગટ થઈને તસ્કરોને દૂર કર્યા.૬૯ ભગવાન આર્ય પ્રદેશના મલય દેશમાં વિહાર કરવા લાગ્યા અને તે વર્ષે મલયની રાજધાની દિલા નગરીમાં પોતાનું પાંચમુ ચાતુર્માસ કર્યું. ચાતુર્માસિક તપ અને વિવિધ આસને સાથે ધ્યાન સાધના કરતાં કરતાં વર્ષાવાસ (ચોમાસું) પૂર્ણ કર્યું. ૭૨ વર્ષાવાસ પૂર્ણ થતાં, ભક્િલા નગરીની બહાર ચાતુર્માસિક તપનું પારણું કરી ‘કદલી સમાગમ' “જંબુ સંડ' થઈને “તંબાયસન્નિવેશ” પધાર્યા. તે વખતે પાપત્ય સ્થવિર નંદિવેણુ ત્યાં બિરાજી રહેલ હતા. ગોશાલકે તેમની સાથે પણ વાદ-વિવાદ કર્યો. તંબાયથી ભગવાન “કૃપિયસન્નિવેશ પધાર્યા. ત્યાં લોકોએ ગુપ્તચર સમજી ભગવાનને પકડી લીધા. અનેક યાતનાઓ આપી અને કારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy