SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ ગશાલકને ભેટે ૧૮૧ ત્યાંથી વિહાર કરીને ભગવાન ચોરાકસન્નિવેશ પધાર્યા, ૨૫૫ ત્યાં તસ્કરેને ઘણે ભય હતું. તેથી ચોકીદારો સતત સાવધાન રહેતા હતા. ચોકીદારોએ પરિચય મેળવવા માટે ભગવાનને પ્રશ્ન કર્યા પરંતુ ભગવાન મૌન રહ્યા. ચોકીદારોએ ગુપ્તચર સમજીને ભગવાનને અનેક યાતનાઓ આપી. સેના અને જયંતી નામની પરિવ્રાજિકાઓ કે જે ઉત્પલ નિમિત્તિઆની બહેન હતી તેમને ખબર પડી કે તરત જ ત્યાં પહોંચી અને ચકીદાને કહ્યું કે આ સિદ્ધાર્થનંદન મહાવીર છે.” એમ જાણતાં આ રક્ષકોએ (ચોકીદારોએ) તેમને મુક્ત કરી દીધા.૫૬ ભગવાન ત્યાંથી પૃષ્ટચંપા પધાર્યા અને ચોથું વર્ષાવાસ ત્યાં પસાર કર્યું, પ્રસ્તુત વર્ષાવાસમાં ચાર માસ માટે આહારપાણી છોડીને ભગવાન આત્મચિંતન અને ધ્યાનમુદ્રામાં ઊભા રહ્યા. વર્ષાવાસ પછી ભગવાન કયંગલા નગરી પધાર્યા. ત્યાં દરિદ્રથેરના દેવળમાં ધ્યાનસ્થ થયા. ૨૫૭ ત્યાંથી વિહાર કરીને શ્રાવસ્તીની બહાર ધ્યાન કર્યું. કડકડતી ઠંડી પડી રહેલ હતી તે પણ ભગવાન ઠંડીની પરવાહ કર્યા વિના રાતભર ધ્યાનમાં રહ્યા. ૨૫૮ ઠંડીમાં ગોશાલક ઘણે હેરાન થે, ત્યાં દેવળમાં ધાર્મિક ઉત્સવ હોવાથી સ્ત્રી પુરુષો વગેરે એકઠાં થઈને નૃત્યગાન કરી રહ્યાં હતાં. ગોશાલક તેમની ઠેકડી કરવા લાગે – “આ કેવો ધર્મ છે કે જેમાં સ્ત્રી-પુરુષ એકસાથે નિર્લજજ થઈને નાચી રહે.” લોકોએ ગશાલકને પકડીને બહાર ધકેલી દીધે. તે ઠંડીમાં ધ્રુજવા લાગ્યો અને બોલ્યો કે આ સંસારમાં સાચું બોલીને વિપત્તિ વહેરવાની છે. લોકોએ દેવાર્યને શિષ્ય સમજીને તેને ફરી અંદર બેલા પરંતુ તે તે પિતાની આદતથી લાચાર હતા. પહેલા યુવકોએ ખૂબ માર માર્યો પછી વૃદ્ધોએ તેની વાત સાંભળી ન સાંભળી કરીને ખૂબ જોરથી વાજા વગાડવા કહ્યું, સવારે ભગવાન ત્યાંથી વિહાર કરીને શ્રાવસ્તી પધાર્યા. શ્રાવસ્તીમાં શિવદત્ત બ્રાહ્મણની પત્નીએ મૃત બાળકના રૂધિરમાંસની ખીર બનાવી અને તે ગોશાલકને આપી, ગોશાલકે તે ખાધી, પ્રભુએ તેના રહસ્યનું ઉદ્દઘાટન કર્યું. ગોશાલકે વમન કર્યું આવી બધી વાતો જોઈને તેને નિયતિવાદ પર દઢ વિશ્વાસ થઈ ગયે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy