SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ ચંડકૌશિકને પ્રતિબંધ ૧૭૫ હોવા છતાં પણ નિર્જન, ભયાનક અને વિકટ સંકટયુક્ત હતા. બહારને પંથ કુટિલ અને લાંબે હતો. પરંતુ સુગમ અને વિપદેથી મુક્ત હતો. આત્માની મસ્તીમાં ગજરાજની માફક ડેલતા મહાવીર સીધા પંથ ઉપર જ પોતાનાં કદમ વધારતા જઈ રહેલ હતા. ૨૭૩ ગવાળાએ ચેતવતા કહ્યું. “દેવાર્ય! તે બાજુ ન પધારો. તે માર્ગમાં એક ભયંકર દૃષ્ટિવિષ સર્પ રહે છે કે જેના ઝેરીલા કુંફાડાથી માનવ તે શું પણ પશુપક્ષી પણ સદાને માટે આંખ મીંચી લે છે. તે એટલે ભયંકર છે કે જ્યાં જુએ છે ત્યાં ઝેર વરસવા લાગે છે, આગની જવાળાઓ નીકળે છે. તેના કારણે આસપાસનાં વૃક્ષો પણ સૂકાઈ ગયાં છે. ચારે બાજુ સુમસામ થઈ ગયેલ છે. તેથી આપ બહારના માર્ગથી પધારે. પરંતુ મહાવીર મૌન હતા. તે તેમના લક્ષ્ય તરફ આગળ વધી રહેલ હતા. પંથથી વિચલિત થવું તે તેઓ શીખ્યા ન હતા. ગોવાળોએ ફરીવાર રોકવાનો પ્રયાસ કર્યો પરંતુ તેઓ સફળ ન થઈ શક્યા. ભગવાન આગળ વધી ગયા. ચંડકૌશિકના સ્થાન ઉપર જઈને ધ્યાનમાં ઊભા રહી ગયા. ર૩૮ તેમના મનમાં પ્રેમના દૂધને સાગર ઊછળી રહેલ હતે. ભયંકર ફૂંફાડા મારતો નાગરાજ બહાર નીકળ્યો. રાફડાની પાસે ભગવાનને જોઈને તે એકદમ થંભી ગયો. પછી તેણે એકાએક ક્ષુબ્ધ થઈને ફૂંફાડા માર્યો પરંતુ ભગવાન ઉપર કાંઈ પણ અસર થઈ નહિ. તેણે અનેક ડંખ દીધા તેપણુ ભગવાનને શાંતપ્રશાંત જોઈને તે સ્તબ્ધ થઈ ગયો. આશ્ચર્યમાં ડૂબેલો વિષધર મહાવીરની મુખમુદ્રાને એકીટશે જોઈ રહ્યો તેમાં કયાંય રેષ કે કોધની રેખાઓ ન હતી પરંતુ મધુર મંદહાસ્ય ખીલી રહ્યું હતું. અંતે અમૃતની આગળ વિષ હારી ગયું. મહાવીરે નાગરાજને શાંત જોઈને ધ્યાનથી નિવૃત્ત બનીને કહ્યું“ચંડકૌશિક! બેધ પામ! “બુગ્ઝ બુઝ ચંડકાસિયા' શાંત થા, જાગૃત થા. અજ્ઞાનના અંધકારમાં જ્યાં ભટકી રહેલ છે. પૂર્વજન્મના દુષ્કર્મોને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy