SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪ ક૯પાત્ર (૬) ચતુર્વિધ દેવ આપની સેવામાં રહેશે. (૭) સંસાર સાગરને આપ પાર કરશો. (૮) કેવળ જ્ઞાન અને કેવળ દર્શનને આપ પ્રાપ્ત કરશે. (૯) અહીંતહીં સર્વત્ર આપની કીર્તિ કમુદી ચમકશે. (૧૦) સમવસરણમાં સિંહાસન ઉપર બિરાજીને આપ ધર્મની સંસ્થાપના કરશો. આ પ્રમાણે તે નવ સ્વપ્નનાં ફળ મારા જાણવામાં આવ્યાં પણ ચોથા સ્વપ્નાનું ફળ મારી સમજમાં આવતું નથી. ભગવાને ચોથા સ્વપ્નાનું ફળ બતાવતાં કહ્યું. ઉત્પલ, હું સર્વ વિરતિ અને દેશવિરતિરૂપ બે પ્રકારના ધર્મની પ્રરુપણ કરીશ.૩૩ પ્રસ્તુત વર્ષાવાસમાં ભગવાને પંદર પંદર દિવસના આઠ અર્ધમાસ ઉપવાસ કર્યા.૨૩૪ ત્યાંથી વર્ષાવાસમાં પછી વિહાર કરીને ભગવાન મરાકસન્નિવેશમાં પધાર્યા અને ઉદ્યાનમાં બિરાજ્યા.૨૩૫ ત્યાં ભગવાનના તપસ્વી જીવન અને જ્ઞાનની તેજસ્વિતાથી જનતાના મનમાં શ્રદ્ધાના દીપ પ્રજજવલિત થઈ ઊડ્યા. ધ્યાનપરાયણ મહાવીરની ચારે બાજુ જનતા શ્રદ્ધાપૂર્વક આવીને જામવા લાગી, પ્રસ્તુત સન્નિવેશમાં અચ્છેદક નામને પાખંડી રહેતો હતો કે જે પોતાનું ગુજરાન જ્યોતિષ વગેરેથી ચલાવતો હતો. મહાવીરની તેજસ્વી પ્રતિભાથી તેની પ્રતિભા પ્રભાવહીન (ઝાંખી) બની ગઈ. તેણે ભગવાનને નિવેદન કર્યું– “ભગવાન! આપનું વ્યક્તિત્વ અપૂર્વ છે. આપ અન્યત્ર પધારો કેમકે આપના અહીં બિરાજવાથી અમારું ગુજરાન ચાલતું નથી. અમે બીજે કોઈ ઠેકાણે જઈએ તે પરિચય અને પ્રતિભાના અભાવમાં અમને કઈ પણ પૂછશે નહિ, કરૂણાવતાર મહાવીરે ત્યાંથી વિહાર કરી દીધે.૨૩૬ –* ચંડકૌશિકને પ્રતિબંધ દક્ષિણ વાચાલાથી ઉત્તર વાચાલા જવાના બે માર્ગ હતા. એક કનખલ આશ્રમમાંથી થઈને અને બીજે બહારથી. આશ્રમને માર્ગ સીધો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy