SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વાવલંબી મહાવીર ૧૬૯ –* સ્વાવલંબી મહાવીર - મહાવીરની સાધના પૂર્ણ સ્વાવલંબી હતી. પોતાની સહાયતા માટે બીજાની સામે હાથ ફેલાવો તો દૂર રહ્યો પણ ભક્તિભાવનાથી તરબોળ થઈને પ્રાર્થના કરનારાને સહયોગ પણ તેમણે કદી ન ઇ . ગોવાળની મૂઢતા જોઈને દેવરાજના મનમાં આવ્યું અને પ્રભુને પ્રાર્થના કરી – “ભગવંત, વર્તમાનમાં માનવ અજ્ઞાની અને મૂઢ છે તેથી આપ જેવા ઘોર તપસ્વીઓને પણ મારવા માટે તૈયાર થઈ જાય છે, પૂરાં બાર વરસ સુધી આપને વિવિધ કષ્ટોને સામને કરવો પડશે તેથી આજ્ઞા આપો તે ત્યાં સુધી આપની સેવામાં રહીને કષ્ટ નિવારણ કર્યા કરીશ.” ૨૮ જવાબ આપતાં મહાવીરે કહ્યું : દેવરાજ! અતીતમાં કદી એમ બનેલ નથી, વર્તમાનમાં એવું બનતું નથી અને ભવિષ્યમાં એવું કદી બનશે નહિ કે દેવેન્દ્રો અથવા અસુરેન્દ્રોની સહાયતાથી અરિહતે કેવળજ્ઞાન અને સિદ્ધિ પ્રાપ્ત કરે. અહંન્તો તો પોતાનાજ બળ અને પુરુષાર્થથી કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે. ૨૯ – પ્રથમ પારણું - - બીજે દિવસે ત્યાંથી વિહાર કરીને ભગવાન વર્ધમાન કોલ્લાગ સન્નિવેશમાં પહોંચ્યા. ત્યાં બહલ નામના બ્રાહ્મણને ઘેર ધી અને ખાંડ મિશ્રિત પરમ અન્ન (ખીર) ની ભિક્ષા પ્રાપ્ત કરીને તેના પાત્રમાં છઠનું પારણું કર્યું. ર૪૦ સમવાયાંગમાં કહેલ છે કે-ઋષભદેવ સિવાય બાકીના તીર્થકરોએ બીજે દિવસે પારણાં કર્યા અને પારણામાં અમૃત જેવી મધુર ખીર તેમને પ્રાપ્ત થઈ રા ત્યાંથી વિહાર કરીને ભગવાન મોરાક સન્નિવેશમાં દૂઈજ્જન્તક જાતિના તાપના આશ્રમમાં પધાર્યા. ત્યાંના કુલપતિ ભગવાનના પિતા સિદ્ધાર્થના પરમ મિત્ર હતા. ૧૧૨ ભગવાનને આવતા જોઈને તે સ્વાગતને માટે ઊભા રહ્યા. ભગવાને પણ પૂર્વના અભ્યાસવશ મળવાના હેતુથી બને હાથ લંબાવ્યા અને તેમના મધુર આગ્રહને વશ થઈને તે એક દિવસ ત્યાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy