SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૬ કલ્પસૂત્ર દઢ નિશ્ચય કર્યો કે “જ્યાં સુધી મને કેવળ જ્ઞાન પ્રાપ્ત થશે નહિ ત્યાં સુધી હું આ શરીરની સેવા-સુશ્રષા અથવા સાર સંભાળ કરીશ નહિ. દેવમાનવ અને તિર્યંચ સંબંધી જે કોઈ ઉપસર્ગ આવશે તેને સમભાવથી સહન કરીશ અને મનમાં કોઈ પણ જાતને કિંચિત પણ ઉદ્વેગ થવા દઈશ નહિ.૧૯૪ ભગવાન શ્રી મહાવીરે જે સમયે દીક્ષા ગ્રહણ કરી તે વખતે તેમની સાથે બીજુ કઈ પણ દીક્ષિત થયું નહિ. જ્યારે પૂર્વવત તીર્થકરોની સાથે અનેક પુરુષે દીક્ષિત થયા હતા. જેમકે – ભગવાન ઋષભદેવે ચાર હજાર પુરુષોની સાથે, ભગવતી મલ્લી અને ભગવાન પાર્શ્વનાથે ત્રણ પુરાની સાથે, ભગવાન વાસુપૂજ્ય છસ્સો પુરુષની સાથે અને બાકીના એગણીશ તીર્થકરોએ હજાર-હજાર પુરુષોની સાથે દીક્ષા ગ્રહણ કરી હતી.૧૯૫ – ૪ સાધના કાળ મૂલ્ય: समणे भगवं महावीरे संवच्छरं साहियं मासं जाव चीवरधारी होत्था, तेण परं अचेले पाणिपडिग्गहए ॥११५॥ અર્થ: શ્રમણ ભગવાન મહાવીર, એક વરસને એક મહિના સુધી વસ્ત્રધારી રહ્યા હતા. ત્યારપછી તેઓ અચેલ–વસ્રરહિત તથા હાથમાં ભેજન કરનારા બન્યા. વિવેચનઃ પ્રસ્તુત સૂત્રમાં અને આચારાંગના મૂળમાં દરિદ્ર બ્રાહ્મણને વસ્ત્ર દેવાને ઉલ્લેખ નથી પરંતુ આવશ્યક ચૂર્ણિ, નિર્યુક્તિ, વૃત્તિ ચઉષ્પન્નમહાપુરૂષચરિયું, ત્રિષષ્ટિશલાકાપુરૂષચરિત્ર અને કલ્પસૂત્રની ટીકાઓમાં જે વર્ણન આવે છે આ પ્રમાણે છે: પ્રવજ્યા ગ્રહણ કર્યા પછી ભગવાન ત્યાંથી પ્રસ્થાન કરે છે. લોકોનાં નેત્રે તે પરમ તારકને ત્યાં સુધી એકી નજરે નિહાળતાં રહ્યાં છે જ્યાં સુધી ભગવાન નજરે દેખાતા બંધ ન થયા. દષ્ટિથી ઓઝલ થતાંજ તેમના નેત્રમાંથી આંસુઓ, મોતીની જેમ વરસી પડ્યાં અને તેમના હૃદયના સુકોમળ તાર ઝણઝણી ઊઠયા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy