SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ પુરાવાચન અધિક પ્રિય છે, જેના પરિણામે થોડા જ વખતમાં એવા મહત્ત્વપૂર્ણ શોધપ્રધાન અને ચિત્તનપ્રધાન ચાર ડઝનથી પણ અધિક ગ્રંથ તેઓ લખી શકયા છે. પ્રસ્તુત કલ્પસૂત્રમાં પાઠક દેખી શકે છે કે, પ્રત્યેક વાતને સિદ્ધ કરવા માટે તેઓ પ્રમાણ આપે છે અને પ્રાચીન ગ્રંથોના પ્રમાણોના પ્રકાશમાં જ તર્ક અને યુકિતથી પ્રત્યેક વાતને સિદ્ધ કરે છે. પ્રસ્તુત ગ્રંથ ગુજરાતી ભાષામાં અમને પ્રકાશનને માટે પ્રદાન કર્યો તે માટે અમે રાજસ્થાન કેસરીજી મહારાજ અને દેવેન્દ્ર મુનિના હૃદયથી આભારી છીએ. શ્રીયુત ધર્મપ્રેમી શ્રી જગજીવનદાસ લાલજીભાઈ દોશી બી.એ. એલ.એલ.બી, રીટાયર્ડ ડિસ્ટ્રિક અને સેશન્સ જજની નિસ્વાર્થ ભાવનાથી કરવામાં આવેલી મહત્ત્વપૂર્ણ સેવાને પણ ભૂલી શકાતી નથી. જેમણે પ્રસ્તુત ગ્રંથરાજન ગુજરાતી ભાષામાં અનુવાદ કરેલ છે. અનુવાદનું કાર્ય સરળ નથી. દીદ અનુભવ વગર તે કાર્ય થઈ શકતું નથી. તે ન્યાયાધીશ સાહેબે સાહિત્યપ્રેમથી પ્રેરિત થઈને આ કાર્ય કર્યું. સાથે સાથે ગુજરાતી પ્રફ સંશોધન કરીને પણ અમારો ભાર હલકો કર્યો છે. તેથી અમે તેમની સેવાઓની મુકતકંઠે પ્રશંસા કરીએ છીએ. ' ગ્રંથને એટલો સુંદર, ચિત્તાકર્ષક અને શીધ્ર પ્રકાશિત કરવાનું શ્રેય સ્નેહી અને સેવામૂર્તિ શ્રી નંદલાલભાઈ એમ. દોશીને છે કે જેમના કારણે આ ગ્રંથ એટલો જલ્દી અને ઉત્તમ રીતે પ્રકાશિત થઈ શકયો છે. આ ગ્રંથ હિંદીમાં શ્રી અમર જૈન આગમ શોધ સંસ્થાન, ગઢ સિવાના રાજસ્થાનથી પ્રકાશિત થયો હતો. તેમના અધ્યક્ષ શ્રીમાન હસ્તીમલજી ભૂતાજી જિનાણી અને મંત્રી મુલતાનમલજી રાંકાએ એમને ગુજરાતીમાં પ્રકાશિત કરવા માટે અનુમતિ પ્રદાન કરીને તેને માટે અમે તેમના આભારી છીએ. જે દાનવીરોએ આર્થિક સહગ આપીને અને પહેલેથી ગ્રાહક બનીને પડતર કિંમતથી ઓછી કિંમતમાં પાઠકોને ગ્રંથ આપવા માટે અમને ઉત્સાહિત કર્યા તેથી તેમને હૃદયથી અભિનંદન આપીએ છીએ. દ્વિતીયાવૃત્તિનું પ્રકાશન કલ્પસૂત્રનું બીજું ગુજરાતી સંસ્કરણ પ્રકાશિત કરતાં અમે અમારી જાતને માટે અત્યંત ગૌરવ અનુભવીએ છીએ. પ્રથમ સંસ્કરણની બે હજાર પ્રત પ્રકાશિત કરતી વખતે અમને એવો મનમાં વિચાર હતો કે પાંચ - સાત વરસમાં આ પુસ્તકો સમાપ્ત થશે પરંતુ અમારી ધારણા ખેાટી સિદ્ધ થઈ, કલ્પસૂત્રની બે હજાર પ્રતે માત્ર એક અઠવાડિયામાં જ સમાપ્ત થઈ ગઈ અને તેની એટલી અતિ અધિક માગણી આવતી રહી કે અમને ઈનકાર કરવામાં ઘણી મુશ્કેલી પડી. વાંચકોની માગણી દેખીને અમે છેવટમાં એવો નિર્ણય લીધે કે તેની ફરીને ત્રણ હજાર પ્રતે છપાવવામાં આવે. જેવી જ તેના પ્રકાશનની ઘોષણા કરી તેવા જ ઉપરાઉપરી ઓર્ડર આવવા લાગ્યા, કોઈની પણ પ્રેરણા વગર અગાઉથી ગ્રાહક પોતાનાં નામ નોંધાવવા લાગ્યા. ગ્રંથ છપાઈને તૈયાર જ ન થયો ત્યાં બે હજારથી પણ અધિક પુસ્તકોનાં ગ્રાહક બની ગયાં. પાઠકોની માગણી દેખીને એમ લાગે છે કે કયાંક અમારે તેની ત્રીજી આવૃત્તિ નજીકના ભવિષ્યમાં પ્રકાશિત કરવી પડશે. સ્થાનકવાસી અને મૂર્તિપૂજક સમાજના આગમના મર્મજ્ઞ વિદ્રાને અને તેએ અભિપ્રાય દીધેલ છે, તેમણ મુકત કંઠથી તેની પ્રશંસા કરેલી છે. દેવેન્દ્ર મુનિજીએ તે બધાં સ્થળ ઉપર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy