SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ પુરે વચન સાહિત્ય અને સંસ્કૃતિને પરસ્પર ઘનિષ્ઠ સંબંધ છે. આ બન્ને એકબીજા ઉપર આધાર રાખનારા છે. એકના અભાવમાં બીજું પ્રગતિ કરી શકતું નથી કે ન તો બીજાના અભાવમાં પહેલું વિકાસ કરી શકે છે. જે રામાજની જે જાતની સંસ્કૃતિ હશે તે સમાજનું સાહિત્ય પણ તેને અનુરૂપ હશે. જો આપણે સમાજનું સ્પષ્ટ પ્રતિબિબ સાહિત્યમાં મેળવીએ છીએ તો તે સાહિત્યમાં તે સમાજની સંસ્કૃતિ પણ સ્પષ્ટ રૂપથી ઝળકે છે. જે સમાજની સંસ્કૃતિ જેટલી મહાન હશે તે સમાજનું સાહિત્ય પણ તેટલું જ ઉન્નત અને વિશુદ્ધ હશે. જે રીતે સાહિત્ય અને સમાજને સંબંધ અનિવાર્ય છે તેવી જ રીતે સંસ્કૃતિ અને સાહિત્યનો સંબંધ પણ પરસ્પર રહેલ છે. - જૈન સંસ્કૃતિ ભારતની એક મહાન સંસ્કૃતિ છે, તેનું સાહિત્ય પણ તેટલું જ વિશાળ અને કો છે. સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, રાજસ્થાની, હિન્દી, અને કન્નડ વગેરે ભાષાઓમાં જૈનાચાર્યોએ જે વિરાટ સાહિત્યનું સર્જન કરેલ છે તેને દેખીને પાશ્ચાત્ય વિચારક પણ ચકિત થાય છે. એવો કોઈ પણ વિષય નથી કે, જેના ઉપર જૈનાચાર્યોએ અધિકારથી લખેલું ન હોય. ક૫ત્ર જૈન સંસ્કૃતિના જયોતિર્ધર નક્ષત્ર આચાર્ય ભદ્રબાહ સ્વામીની એક મહત્ત્વપૂર્ણ કતિ છે. આ કૃતિ એટલી હદ સુધી લોકપ્રિય સિદ્ધ થઈ કે, તેના ઉપર તે પછીના આચાર્યોએ સૌથી અધિક ટીકાઓ લખી છે. વર્તમાન યુગ, શોધપ્રધાન યુગ છે. આ યુગમાં પ્રત્યેક વસ્તુ ઉપર થિસીસ ગ્રંથ લખવામાં આવી રહેલ છે. દેવેન્દ્ર મુનિજીએ યુગને અનુકૂળ કલ્પસૂત્ર ઉપર શોધપ્રધાન શૈલીથી મહત્ત્વપૂર્ણ વિવેચન લખ્યું કે જે શ્રી અમર જૈન આગમ શોધ સંસ્થાન, ગઢ સિવાન (રાજસ્થાન)થી હિન્દીમાં પ્રકાશિત થયું. ગ્રંથની લોકપ્રિયતા એટલી અધિક થઈ કે, સંપ્રદાયવાદને ભૂલીને બધાએ તેને હૃદયથી અપનાવ્યો, બધાએ તેની મુકત કંઠે પ્રશંસા કરી, વિદ્વાનોના કેટલાક અભિપ્રાય અમે ગ્રંથમાં આપેલ છે તેથી પાઠક દેખી શકશે કે, આ ગ્રંથ વસ્તુત : કેટલું મહત્ત્વપૂર્ણ છે. ગ્રંથના દિશાનિર્દેશક છે રાજસ્થાન કેસરી પ્રસિદ્ધ વકતા પંડિત પ્રવર શ્રદ્ધેય શ્રી પુષ્કર મુનિજી મહારાજ, પુષ્કર મુનિજી મહારાજ સ્થાનકવાસી સમાજના નામાંકિત મુનિવરોમાંથી છે કે જે વરસે સુધી શ્રમણ સંઘના સાહિત્ય શિક્ષણમંત્રી અને પ્રાંતમંત્રી રહેલ છે. આગમ સાહિત્ય અને દર્શનના ગંભીર વિદ્રાન છે તથા પ્રસિદ્ધ પ્રવચનકાર છે. ઊંડામાં ઊંડા વિષયને પણ સરળ, સરસ ભાષામાં યુકિતપ્રયુકિત અને રૂપકોના માધ્યમથી એટલો અધિક રોચક બનાવીને પ્રસ્તુત કરે છે કે, શ્રોતા આનંદથી ઝૂમી ઊઠે છે. તે તેમની પેતાની વિશેષતા છે. તેઓશ્રી વિદ્વાન છે પણ વિદ્વત્તાને તેમને અહંકાર નથી, તેઓશ્રી ઉત્કૃષ્ટ ચારિત્રનિષ્ઠ છે, પરંતુ ચારિત્રનું તેમને ઘમંડ નથી. તેઓ સરળ છે, મધુરભાષી છે તથા તે સાથે સિદ્ધાંતવાદી પણ છે. ગ્રંથના સંપાદક અને વિવેચનકાર શ્રી દેવેન્દ્રમુનિજી શાસ્ત્રી તેમના જ સુયોગ્ય શિણ છે. સાહિત્ય, લેખન તેમને અધિક પ્રિય છે. જનસંપર્કથી દૂર રહીને પુસ્તકોને સંપર્ક રાખવે તે તેમને Jain Education International For Private & Personal Use Only For Private & Personal use only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy