SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ અભિપ્રાય મૂર્તિપૂજક જૈન સમાજના મૂર્ધન્ય વવિદ્વાન મુનિયાના અભિપ્રાય! (૧૨) મેં આપ દ્વારા પ્રેષિત કલ્પસૂત્રનું અવલાકન કર્યું. સંપાદન સુંદર થયું છે. પ્રસ્તાવના અને તુલનાત્મક દષ્ટિથી લખેલું વિવેચન ઘણું જ સુંદર છે મને વિશ્વાસ છે જિજ્ઞાસુ પાઠકોને માટે આ ગ્રંથ ઘણા ઉપયોગી સિદ્ધ થશે. આગમપ્રભાકર શ્રી પુણ્યવિજયજી મહારાજ (૧૩) દેવેન્દ્રમુનિ શાસ્રી દ્વારા સંપાદિત કલ્પસૂત્રનું મેં ઊંડાણથી અધ્યયન કર્યું. મુનિજી વિશાળ દષ્ટિથી મંડિત પ્રતિભાશાળી લેખક છે. તેમની દ્રષ્ટિ તીક્ષ્ણ છે. તથા લખાણ અર્થબાધવાળું છે. હું અધિકારપૂર્વક કહી શકું છું કે મુનિજીએ સાંપ્રદાયિક સંકુચિત દષ્ટિથી ઉપર ઉઠીને તેનું સંપાદન કરેલ છે. કયાંય પણ સાંપ્રદાયિક તત્ત્વોની ગંધ નથી. ખંડન-મંડનથી તેઓશ્રી દૂર રહ્યા છે. સત્ય તથ્યનું સમુદ્ઘાટન કરવું તે જ તેમનું લક્ષ્ય રહેલ છે. પ્રસ્તુત કલ્પસૂત્રને અનેક શ્વેતાંબર મૂર્તિપૂજક આચાર્યોએ પસંદ કરેલ છે. ડૉકટર મુનિશ્રી કાન્તિસાગર (૧૪) મહાગ્રન્થ મહાભારતમાં વર્તતી ગૌતા ને કાલાન્તરે વૈદિકોએ જેમ વિભકત કરી સર્વજન સુલભ બનાવી. તેમ ચૌદ પૂર્વધર શ્રુતકેવલી શ્રી ભદ્રબાહુસ્વામીજીએ રચેલું અંગબાહ્ય ગણાતા વૈશાશ્રુત ંઘ નામનું આગમ, જેની ગણના છેદ સૂત્રમાં કરવામાં આવી છે તેના આઠમાં અધ્યયન રૂપે વર્તતા વપ્નોસવળ —વર્યુવળ વલ્લ નામના વિભાગને પૂર્વાચાર્ય ભગવંતે આજથી લગભગ પંદરસે વર્ષ આસપાસમાં વિભકત કર્યો અને એમ થવાથી તેનો લાભ ચતુર્વિધ સંઘને સુલભ બન્યો. ઉત્તરોત્તર એ પવિત્ર અને મંગલ સૂત્રનો મહિમા એટલે વધ્યો કે એની ગણના સ્વતંત્ર આગમ રૂપે ન હોવા છતાં તેણે સ્વતંત્ર આગમ જેવું અને પાછું તે બધાયથી સર્વોત્તમ કોટિનું સ્થાન મેળવી લીધું છે. ૧૧ ક્રિશ્ચિયનેમાં બાઈબલ, પારસીઓમાં અવસ્તાનું, ઈસ્લામીઓમાં કુરાનનું, વૈદિક હિન્દુએમાં ગીતાનું, બૌદ્ધોમાં ધમ્મપદનું જેવું સ્થાન છે તેવું જ સ્થાન પરમ પૂજ્યનીય વંદનીય એવા કલ્પસૂત્રનું છે. પૂર્વાચાયો એ તેના અસાધારણ મહિમા ગાયો છે. અને સર્વશ્રુતાગમ શાસ્ત્રોમાં તેને ‘શિરોમિણ’ તરીકે ઓળખાવ્યું છે. તેનું અસાધારણ કોટિનું સ્થાન હોવાનાં કારણે શ્વે. મૂર્તિપૂજકોના જ્ઞાન ભંડારોમાં કલ્પસૂત્ર મૂલની છેલ્લાં ૬૦૦-૭૦૦ વર્ષમાં સાચાં સાનાથી લખાયેલી, સુંદર ચિત્રાવાળી બહુમૂલ્ય હસ્તપ્રતિઓની સંખ્યા સેંકડોની છે અને કાલી શાહીથી મેાટા અક્ષરે લખાયેલી ચિ સહિતની પ્રતિઓની સંખ્યા હજારોની છે. Jain Education International આ સૂત્ર પ્રત્યે જૈના કેવી શ્રદ્ધા ધરાવે છે તેની ખાત્રી અજૈન ન્યાયાધીશા પણ જાણતા હાવાથી બે જૈન વચ્ચેનાં કેસની પતાવટ કરાવવી હોય ત્યારે સાચું બોલાવવા માટે ‘કલ્પસૂત્ર' કોરટમાં મંગાવી હાથમાં રાખી સત્ય બોલવા જણાવે છે. પ્રસ્તુત પ્રકાશન અંગે : For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy