SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ કલ્પસૂત્ર दसासुयक्खंधसुयस्स तस्स, दळं दसं अदमियं च नायं । वीरस्स कल्लाण-पणं पकिळं, बिन्दुम्मि सिंधुमिव संपविठं ।१।। પરમથુત દશાશ્રુતસ્કંધની આઠમી દશા જોઈને જણાઈ આવ્યું કે આમાં તો ભગવાનનાં પાંચે કલ્યાણક બિંદુમાં સિંધુની માફક સમાઈને રહેલાં છે. कप्पं विणा किंचि कल्लाणमित्थं, नेवत्थि लोए त्ति विचितिऊणं । सिरिभद्दबाहू सुयपारगामी, तस्सुत्तमेयं कयवं महत्थं ॥२॥ પરંતુ શાસ્ત્રપારંગત શ્રી ભદ્રબાહુ સ્વામીએ વિચાર્યું કે આચારના પાલન વિના આ વિશ્વમાં એક પણ કલ્યાણ નિષ્પન્ન થવાનો સંભવ નથી. એથી એમણે બહુ મોટા એવા પ્રયજનના સાધક કલ્પસૂત્રની રચના કરી. नासी अणेगेसि पमाणमेयं, अहं पि नासं बहिरम्मि देसे ।। परंतु देविंदमुणी सपुण्णो, दूरीकरित्था विउसाण संकं ।।३।। કલ્પસૂત્રને અનેક વિદ્વાને બત્રીસ સૂત્રોની અંતર્ગત માનતા નહોતા. હું પણ એ જ મતને હતે. પરંતુ આગમપ્રભાકર શ્રી પુણ્યવિજ્યજી મહારાજની સહાયતાથી શ્રી દેવેન્દ્રમુનિએ વિદ્રાની એ શંકા દૂર કરી દીધી. तं कप्पसूत्तं रयणायरं व, णेगेहि देवेहि विलोडियं हि । सुमंथिअं किंतु देविंदएण, सम्मप्पयारेण मई मि एसा ।।४।। આ કલ્પસૂત્રરૂપ સાગરનું અનેક વિબુધોએ (વિદ્વાનોએ) મંથન કર્યું હતું. પરંતુ દેવેન્દ્રમુનિએ ઊંડાણથી મંથન કર્યું છે એમ હું માનું છું. पालित्तु कप्पे सुअहित्तु ऽ णेग, करित्तु कल्लाणपणं नियप्पे । वीराणुया होह सब्वेवि तुम्भे, अपक्खपाएण सग्गंथमेयं ।।५॥ હવે આપ પક્ષપાત છોડીને, આ સગ્રંથનું અનેકવાર અધ્યયન કરીને કલ્પને (આચાર ધર્મને) પાળીને પોતાના આત્મામાં પાંચે કલ્યાણકોને અપનાવીને, મહાવીરના અનુયાયી બને. जिणन्तु तित्थं गुरुणो सुपुक्खरा, जिणेउ तस्सीसु देविदसाहू । तहेव सुत्तंपि अन्नाणमंध, जिणेउ भित्तूण चिरं पि कालं ॥६॥ તીર્થગુરુ પુષ્કરમુનિજી મહારાજ જ્યવંત વર્તા, એમના અંતેવાસી દેવેન્દ્રમુનિ મહારાજ જયવંત વર્તી અને આ કલ્પસૂત્ર અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરીને જ્યવંત રહો. (કારણ કલ્પસૂત્રના) આ પ્રકારની લખાણના કાર્યમાં લેખક પોતે કર્તા રૂપે અને તેમના ગુરુ નિમિત્તે રૂપે છે એટલે આ ત્રિપુટી ચિરંજીવ રહો. जसो त्थि लोए सुजयामराणं, नेहो तहा तुरियतारयाणं । अहुणा वि जीयाण सुपुक्खराणं, अविणासिओ होहिइ कप्पसुत्ते ॥७॥ પૂજ્ય શ્રી અમરસિંહજી મહારાજ અને પૂજયશ્રી યમલજી મહારાજને યશ આજે પણ મોજુદ છે. સ્વામીજી તારાચંદજી મહારાજ અને ચૌથમલજી મહારાજને સ્નેહ પણ મોજૂદ છે. એનું જ પ્રતિબિબ શ્રદ્ધય સ્વામીજી શ્રી જીતમલજી મહારાજ અને શ્રદ્ધય શ્રી પુષ્કરમુનિજી મહારાજને નેહસંબંધ આજે પણ છે. તે આ કલ્પસૂત્રની કૃતિ દ્વારા અવિનાશીભાવને પ્રાપ્ત કરો. પં. મુનિશ્રી લાલચંદ્રજી મ. શમણલાલ કાવ્યતીર્થ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy