SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ અભિપ્રાય શ્રી દેવેન્દ્રમુનિ શાસ્ત્રી દ્વારા સંપાદિત કલ્પસૂત્રને દેખીને મને અપૂર્વ હર્ષોલ્લાસ પ્રાપ્ત થયો. અત્યાર સુધી અનેકાનેક કલ્પસૂત્ર હિન્દી ભાષામાં પ્રકાશિત થયેલ છે. પણ મેં જે કાંઈ આમાં મેળવ્યું છે તે અવર્ણનીય છે. આ સંપાદન અદ્વિતીય છે, વચનથી અગોચર છે. મુનિજીએ તેનાં સંપાદનમાં અતિ અધિક અન્વેષણ કરેલ છે. પ્રત્યેક વસ્તુ સપ્રમાણ ઉપસ્થિત કરેલ છે. સૌથી મોટી વિશેષતા એ છે કે, પ્રબુદ્ધપાઠક વાંચતાં વાંચતા વાસ્તવિક ભાવોને પોતાની મેળે જાણી લે છે. આ કલ્પસૂત્ર સ્વાધ્યાય અને મનન કરવાની દષ્ટિથી અનુપમ અને મૌલિક છે. હું બધા સાધુ સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાઓને પ્રેરણા આપું છું કે તેઓ પર્યુષણની પુણ્ય ક્ષણોમાં તેનું અવશ્ય વાંચન-શ્રવણ કરે. ધર્મોપદેટા શ્રી ફલચંદજી મહારાજ (૯) શ્રી દેવેન્દ્રમુનિ શાસ્ત્રી સાહિત્યરત્ન દ્વારા સંપાદિત કલ્પસૂત્ર જોયું. સંપાદકે તેમની સુંદર શૈલીનો સદુપયેગ કરતાં તે ઉપયોગી ગ્રંથનું આધુનિક શૈલીથી જે સંપાદન કરેલ છે, તે પ્રશંસનીય અને સ્તુત્ય છે. આગમ જેવા ગંભીર વિષય ઉપર વ્યાખ્યા કરવી તે સહેલું કામ નથી. પરંતુ લેખકે તેમના ગંભીર અધ્યયનના બળ ઉપર અને પિતાની બૌદ્ધિક શકિતથી ક૬૫સુત્રને અધિકથી અધિક સુગમ અને સુબેધ્ય બનાવવાને સફળ પ્રયાસ કર્યો છે. પુસ્તકને પ્રારંભમાં જે ભૂમિકા આપેલ છે તે પણ મનન કરવા યોગ્ય છે. અન્ય વિદ્વાન લેખકોને માટે આ ગ્રંથનું તુલાનાત્મક ટિપ્પણ ઉપયોગી સિદ્ધ થશે. નિ:સંદેહ કેવળ સાધુ-સાધ્વીએને માટે જ નહિ, પણ પ્રત્યેક સ્વાધ્યાયપ્રેમીને માટે આ ગ્રંથ અત્યંત ઉપયોગી સિદ્ધ થશે. લેખક મુનિ અનેક વિષય ઉપર અનેક ગ્રંથની રચના કરી ચૂકેલ છે. સ્થાનકવાસી સમાજના તે એક ઉદયમાન લેખક છે અને વખતોવખત તે તેમની લેખનીથી નવા નવા ગ્રંથની સૃષ્ટિ રચતા રહે છે. કલ્પસૂત્રની વ્યાખ્યા સરળ અને સુંદર છે. સંપાદન પદ્ધતિ આધુનિક છે. છપાઈની સુંદરતા પણ આકર્ષક છે. પુસ્તકાલયોને માટે આ ગ્રંથ અવશ્યમેવ સંગ્રહણીય છે. - શ્રી વિજયમુનિજી ‘શાસ્ત્રી” ૨-૧૧-૧૯૬૯, ઘાટકોપર. (૧૦) શ્વેતાંબર જૈન સંપ્રદાયમાં પ્રતિવર્ષ પર્યું પણ પર્વાધિરાજ ઉપર કલ્પસૂત્રનું શ્રવણ, મનન, નિદિધ્યાસન અને વાંચનની પરંપરા તે કારણે પ્રચલિત કરવામાં આવેલ છે. કે જેનાથી શ્રમણ સંસ્કૃતિ અને તેના ઉપાસકોને આચાર–વિચાર મર્યાદાઓને સ્પષ્ટ વિવેક અને જાગરણ થઈ શકે. એમ તે કલ્પસૂત્ર ઉપર અત્યાર સુધી સંસ્કૃત - હિન્દી અને ગુજરાતીમાં કેટલીક ટીકાઓ લખાઈ ચૂકી છે. પરંતુ હિંદી ભાષામાં આવી જાતના વિવેચન અને તુલનાત્મક ટિપ્પણીઓથી સુશેભિત સંપાદનની આવશ્યકતા કેટલાં વર્ષોથી અનુભવાતી હતી. તેની પૂર્તિ વિદ્રાન શ્રી દેવેન્દ્રમુનિજી શાસ્ત્રી સાહિત્યરત્ન અત્યંત પરિશ્રમપૂર્વક કરેલ છે. વિદ્વાન મુનિજીએ ઠેકઠેકાણે તુલનાત્મક ટિપ્પણીઓ જૈનેતર શાસ્ત્રોનાં ઉદાહરણો અને સંગતિથી આ મહામૂલ્ય ગ્રંથરાજની શોભામાં ચાર ચાંદ લગાવી દીધા છે. તે જાતના અતિપરિકામ પૂર્વકના સંપાદન માટે મુનિશ્રી ધન્યવાદને યોગ્ય છે. - મુનિ નેમિચંદજી તા. ૧ લી જાન્યુઆરી ૧૯૬૯. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004908
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year1971
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy