SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ પાઠ : ૮ ) ૪. પંચેન્દ્રિય જીવોનું વર્ણન પંચેન્દ્રિય જીવો ચાર પ્રકારે છે. (૧) નારક (૨) તિર્યંચ (૩) મનુષ્ય (૪) દેવ પંચેન્દ્રિયજીવો - આ જીવોને સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય તથા શ્રોત્રેન્દ્રિય હોય છે. मनुष्य 'EN S ચલવરી जलचर વર (૧) નારક : અહીં પ્રથમ નારકના જીવોનું વર્ણન કહેવામાં આવે છે. નારકના જીવો અત્યંત દુખવાળા છે. પોતાના કુર કર્મોને ભોગવવા ત્યાં જન્મે છે. તેઓના દુ:ખોનું વર્ણન જ્ઞાનીઓ પણ કહી શક્તા નથી (૨) તિર્યંચ : તિર્યંચગતિના જીવો પણ અધિક દુઃખવાળા છે. પરવશતા ઘણી હોય છે. કયારેક આંશિક સુખ ભોગવે છે. (૩) મનુષ્ય : આ ગતિ સુખદુ:ખવાળી છે. પરંતુ સવિશેષતા એ છે કે મનુષ્યદેહે જીવ યોગ્યતાને પામીને પરિભ્રમણથી મુક્ત થઈ શાશ્વત સુખ પ્રાપ્ત કરી શકે છે. આવું સંશિપણું, વિચાર શક્તિ સહિત જીવન પ્રાપ્ત થવું દુર્લભ છે. (૪) દેવ : આ ગતિમાં જીવને સર્વ પ્રકારના ભૈતિક સુખો હોય છે. પરંતુ મનુષ્ય ગતિ જેવા ધર્મના સાધન કે સંયમની પ્રાપ્તિ થતી નથી. અને સુખભોગમાં રાચીને પ્રાયે તિર્યંચ ગતિ પામે છે. સમકિતી દેવ એ સુખમાં પણ સભાન હોવાથી મનુષ્યદેહ ધારણ કરી મુક્તિ પામે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004906
Book TitleJiva Tattvanu Parigyan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSomchand D Shah
Publication Year1990
Total Pages112
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy