SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ જીવ સૃષ્ટિના પિરજ્ઞાનમાં જોઇશું કે, જીવ નિગોદમાંથી નીકળ્યા બાદ ક્રમશ: વિકાસ પામતો જાય છે. ભવ્ય જીવનું જીવન પ્રાયે વિકાસ લક્ષી હોય છે. ચારે ગતિમાં ચઢ ઉતર તો ઘણી થાય છે. છતાં ભવ્ય જીવ ઉત્તરોઉત્તર પ્રગતિ કરે છે. નદી ઘોળ પાષણ ન્યાયે કે બોધપૂર્વક વિકાસ પામતો જીવ સમ્યકત્વ સુધી પહોચે છે. એકવાર સખ્યત્વની પ્રાપ્તિ થયા પછી અનંતકાળનું પરિભ્રમણ સંક્ષેપ પામે છે. એવું મહામૂલુ સમ્યકત્વ પ્રાપ્ત કરવા માટે જ ભવ્ય જીવની ઝંખના હોય છે. અનાદિકાળની કર્મશૃંખલાને તોડનાર શકિત્ત સ્વયં આત્માની છે. સદેવ, સગુરૂ અને સધર્મનું અવલંબન પામી જીવ આ માર્ગમાં સરળતાથી યાત્રાનો પ્રારંભ કરે છે. અને પોતાના સ્વપુરૂષાર્થ દ્વારા પરિણામની શુદ્ધિ કરી, જ્ઞાનધારા શુધ્ધ ઉપયોગ વડે કર્મથી મુક્ત થઈ સિધ્ધવને પામે છે. સકર્મક જીવના અધ્યવસાયને વેશ્યા પણ કહેવાય છે. અપેક્ષાએ લેગ્યા પ્રમાણે આયુષ્ય બંધ થતો માનવામાં આવે છે. તે વેશ્યાનું સ્વરૂપ હવે જોઈએ. લેશ્યાનું સ્વરૂપ છે લેશ્યા : કષાયજનિત મનના પરિણામ - અધ્યવસાય વેશ્યાના ત્રણ શુભ અને ત્રણ અશુભ છ પ્રકાર છે. અશુભ લેશ્યા શુભલેશ્યા ૧ કૃષ્ણ વેશ્યા ૪ તેજોવેશ્યા ૨ નીલ વેશ્યા ૫ પલેયા ૩ કાપો વેશ્યા ૬ શુક્લલેશ્યા જીવના પરિણામ સમયે સમયે બદલાય છે. સંયોગ આધીન આત્માના પરિણામનું બદલાવું તે લેહ્યા છે. લેગ્યા એ મનોયોગનું ભિન્ન ભિન્ન સ્વરૂપ છે. જે પ્રકારે આત્માના પરિણામ બદલાય છે તેવા પ્રકારના તેના રૂપરંગ બદલાય છે. તે રંગો પરથી આ વેશ્યાના ઉપર મુજબના નામ રાખવામાં આવ્યા છે. લેશ્યા : કષાયજનિત પરિણામો અનુસાર શુભ-અશુભ બંધ થાય છે તે છ પ્રકારે હોય છે. દ્રષ્ટાંત: તીવ્ર, તીવ્રતર તીવ્રતમ, મંદ, મંદતર, મદંતમ, (શુભાશુભ બને) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004906
Book TitleJiva Tattvanu Parigyan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSomchand D Shah
Publication Year1990
Total Pages112
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy