________________
એક દષ્ટાંત છે કે એક સિંહ જંગલમાં રોજે ઘણાં પશુનો શિકાર કરતો. આથી પશુઓના નેતાએ વારા બાંધી આપ્યા.
એક દિવસ એક સસલાનો વારો આવ્યો. સસલો જાણીને સમય કરતાં વિલંબથી પહોંચ્યો. સિંહ ભૂખનો માર્યો ગુસ્સે થઈ ગયો. તેથી સસલાએ જણાવ્યું કે મહારાજ ! માર્ગમાં આવતા કૂવા ઉપર બીજો સિંહ મળ્યો. તે મને ખાવા ધસ્યો, મેં કહ્યું હું વચનબદ્ધ છું. મને જો મહારાજ રજા આપશે તો આવું છું.
આ સાંભળી સિંહ ગરજ્યો. આ વનમાં બીજો રાજા ? બતાવ. સસલો આગળ, સિંહ પાછળ ચાલવા લાગ્યા. સસલાની ગતિ ધીમી હતી. સિંહ અકળાયો, આથી સસલાને તેણે પીઠ પર બેસાડ્યો. સસલો તો મલકાતો મલકાતો સિંહનો સવાર બન્યો. તે સિંહને એક કૂવા પાસે લઈ ગયો. અને કહ્યું કે આ કૂવામાં સિંહ છે. સિંહે તો કૂવા કાંઠે ઊભા રહીને કૂવામાં જોયું. પોતાના પ્રતિબિંબને બીજો સિંહ જાણી ત્રાડ પાડી, તેનો પડઘો પડ્યો. તે સમજ્યો આ સિંહને તો મારવો જોઈએ, ઊગતા દુમન ડારવો જોઈએ. તેણે આવેશમાં આવીને કૂવામાં પડતું મૂક્યું. નાના સરખા સસલાએ તેને મરણના દ્વારે પહોંચાડી દીધો. જડ – પુદ્ગલના પરિચયથી તું કેવો પ્રભાવિત થયો છું ? રૂપાદિ વિનાશી છે તેમ તારી નરી નજરે દેખાય તેવું છે. તે પદાર્થોમાં રાગાદિ કર્યા પછી તારે પસ્તાવાનો વારો આવે છે. એ સર્વ પદાર્થો પર સુખની આશા ઠગારી નીકળે છે. વળી જગતમાં તું ક્યારે માન કે અપમાન પામે છે. આ સર્વ નાટકનાં પાત્રો ભજવવાં પડે તેમાં તારી પુદ્ગલ પ્રત્યેની મૂછ છે.
વળી આ પૌલિક સુખની મૂછ તને એક જન્મમાં મુગટધારી બનાવે અને બીજા જન્મમાં એવા જંગલમાં કોઈ વૃક્ષ તરીકે ઊભો કરી દે જ્યાં તું કેવળ ટાઢ તડકાને સહન કર્યા જ કરે. એક જગાએ તું ખમા ખમા થતો હતો. બીજી જગાએ તું કરવતથી વહેરાવા માંડ્યો. એક જનમમાં તું હજારો સલામ ઝીલતો હતો. પરંતુ સત્તાના મદનું પરિણામ કોઈ કૂતરા, બિલાડા કે સર્પ જેવા આકાર પામ્યું, તો તને દેખતાંની સાથે તારો તિરસ્કાર થવા માંડ્યો. તેને જોઈને
૮૮
પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org