________________
લોકો દૂર રહેવા લાગ્યા. કેવા નાચ ના ? ' અરે એક જ જન્મમાં બાળક તરીકે પરાધીન રહ્યો, યુવાની તો જોતજોતામાં ચાલી ગઈ અને વૃદ્ધાવસ્થામાં પાછી પરાધીનતાએ તને જકડી લીધો. હિનપુણ્યથી તિરસ્કાર પામ્યો. આ ડોસાની હવે ટાઢી માટી થાય તો છૂટીએ એવા શબ્દો તારે કાને પડ્યા. લાખો આપ્યા પછીનો આ શિરપાવ તને મળ્યો. આ સર્વે પુદ્ગલ પરિચયનું નાટક છે તેમાં તું વિવિધ અભિનય કરી નાચે છે.
જ્ઞાન અનંત જીવનો નિજ ગુણ, તે પુગલ આવરિયો, જે અનંત શક્તિનો નાયક તે ઈણ કાયર કરિયો. ૫૭
વિશ્વની સનાતન પ્રણાલિમાં મુખ્ય બે સત્તા છે. એક કર્મસત્તા બીજી ધર્મસત્તા. કર્મસત્તા પૌલિક છે. ધર્મસત્તા ચૈતન્યસ્વરૂપ છે. ધર્મસત્તાની મર્યાદામાં રહેલા જીવમાં અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતચારિત્ર અને અનંતશક્તિ જેવા અનેક ગુણો નિજ સ્વરૂપે રહેલા છે. આવો અનંત ચતુષ્યના ગુણવાળો તું ક્યાં ફસાયો ? ચપળ એવા સ્પર્શમાં ? વિનાશી એવા રૂપમાં ? શુદ્ર એવા સ્વાદમાં કે ગંધમાં ? અને શબ્દમાં ? આમાંનો એક પ્રકાર તારા નિજગુણ સાથે બંધબેસતો નથી, ક્યાં લીમડો અને ક્યાં આંબો, ક્યાં બાવળ અને ક્યાં કલ્પતરું ? ક્યાં અઢાર અંગ વક્રવાળા ઊંટની સવારી અને ક્યાં હાથીની અંબાડી પરની યાત્રા ?
અનંત ગુણ ઐશ્વર્યના સ્વામીને ભૌતિક પદાર્થોની ગુલામી કેવી ? તેને મેળવવા બાળક હોય ત્યારે રડે, યુવાન થાય ત્યારે દોડે. પ્રૌઢ થાય ત્યારે વાગોળે અને વૃદ્ધાવસ્થામાં પાછો રહે. એટલે હતો ત્યાં ને ત્યાં. ચાર દિવસના ચાંદરણાની જેમ વચ્ચેનો ગાળો તો આંખના પલકારામાં વહી ગયો, અને તારે રડતા રડતા ચિરવિદાય લેવી પડી. અનંત શક્તિનો તું નાયક આવો કાયર કેમ બન્યો ? તારાથી કોઈ કારણ કળવામાં આવે છે ? ન આવતું હોય તે જ તારી બુદ્ધિ વડે વિચારજે કે દુઃખ નથી ઇચ્છતો છતાં દુ:ખ કેમ આવી પડે છે ! મરણ ન ઈચ્છવા છતાં મરણ કેમ આવે છે ? અને આ જીવનમાં જે કંઈ કર્યું તેનો અર્થ શું સર્યો ? કંઈ જવાબ ન મળે
પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ
૮૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org