SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ એ અનુભ છે કે તું પ ક્યાં પૌ તો કોઈ અનુભવીની સલાહ લેજે પણ આ ચાલે છે એમ ચાલવા ન દઈશ. પુદ્ગલને જેમ પુદગલનાં લક્ષણ છે, તેમ ચૈતન્યસ્વરૂપ આત્મામાં પોતાનાં લક્ષણ અર્થાત્ નિજગુણ રહેલા છે. પરંતુ પુદ્ગલથી પ્રભાવિત થયેલા જીવોને પુદ્ગલનાં લક્ષણો દેખાય છે અને પ્રગટ આત્માના ગુણો જણાતા નથી. જો આત્મામાં જ્ઞાનગુણ કે વેદનગુણ ન હોત તો તને પુદ્ગલના નિમિત્તે થતાં સુખદુઃખ ક્યાંથી અનુભવમાં આવત? પણ એ અનુભવ પોકળ છે. તે કંઈ લાભકર્તા ન હોવાથી જ્ઞાનીઓ તને શીખ આપે છે કે તે પોતે જ્ઞાનાદિ અનંત ગુણનો સ્વામી છું. ક્યાં એ ગુણોનો મહિમા અને ક્યાં પૌલિક પદાર્થોની તુચ્છતા. નિજસ્વરૂપી ગુણો દ્વારા તને ઉત્તરોઉત્તર સુખ અને આનંદ મળવાના છે. અને પૌગલિક પદાર્થોના નિમિત્તે મળતાં સુખો ક્ષણિક રહેવાનાં છે. એક સંન્યાસી શિયાળાની કાતિલ ઠંડીમાં મધ્યરાત્રિએ જંગલમાં કોઈ ચોર પલ્લીના નાયકને ત્યાં આવી ચઢ્યા. ચોરનો ઓરડો ભરેલા ઝવેરાતથી ઝગમગ થતો હતો. ચોર તેને સાચવવા રાત્રિએ જાગતો બેઠો હતો. સંન્યાસીએ એક ખૂણામાં રાત ગાળવા રજા માંગી. - રાત્રિ વ્યતીત થઈ. સંન્યાસીએ પરોઢ થતાં ચોરનો ઉપકાર માની વિદાય માંગી. ચોરે વિચાર કર્યો કે આખી રાત આ ઝવેરાત સામે બેસવા છતાં આ સંન્યાસીએ તેની સામે નજર નાંખી નથી, તેથી વિદાય લેતા સંન્યાસીને ચોરે પૂછ્યું. “તમારી પાસે આ વસ્તુથી કોઈ મૂલ્યવાન વસ્તુ છે ? તમે આ ઝવેરાત સામે એક નજર પણ નાંખી નથી.' - સંન્યાસી કહે, “ભાઈ ! મારી પાસે આ ધાબળો અને અંગ પર લંગોટી છે. પરંતુ મારા અંતરમાં આત્માના જ્ઞાનાદિ ગુણરૂપ અમૂલ્ય અને અનંત ખજાનો છે. જેને લૂંટવાવાળો લૂંટી શકે તેમ નથી. તેને સાચવવાથી તે અક્ષય પાત્ર બની જાય છે. અને તેના વડે હું પરમસુખી છું, મને કોઈ વસ્તુની જરૂર પડતી નથી. કંઈ શ્રમ કરવો પડતો નથી. તેને સાચવવા ભય રાખવો પડતો નથી. GO પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004902
Book TitlePudgalno Parihar Parmarthni Prapti
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1998
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy