________________
રાત્રિએ તું જાગ્યો, હું પણ જાગ્યો, તું ચિંતામગ્ન હતો, હું આનંદમગ્ન હતો. બહારના પદાર્થોને સાચવવા ચિંતા કરવી પડે છે. અંતરના ગુણને સાચવવા નિર્દોષ ચિંતન કરવું પડે છે. આવો આ અનંતગુણમય તું પૌગલિક પદાર્થોથી કેમ ગ્રસિત થયો છું ! તેને ત્યજી દેવા કાયર કેમ બન્યો છું ? તું તો ત્રણ જગતના સ્વામી સ્વરૂપે પ્રગટ થાય તેવો ચૈતન્યસ્વરૂપ છે. વિકાસને આધીન પ્રાણી પોતાની ક્ષુદ્ર વાસનાઓથી વાસિત થઈને પોતાના ગુણને પ્રગટ થવા દેતા નથી. અને ચળકાટયુક્ત પીત્તળને સોનાનું પાત્ર માની ખુશી થાય છે, ચાર દિવસની ચાંદની જેવા માનાદિને સુખ માને છે. તે કદાચ બુદ્ધિમાન હોય તો પણ પરમાર્થ માર્ગે તે કેવળ અંધકાર જ છે. દીનતા છે.
જીવ શબ્દ વર્ણાદિને પોતાની ઇન્દ્રિયોના વિષય જાણી ભોગવે છે. ત્યારે વિકૃતિ પેદા થાય છે. પરંતુ તેને ભોગજન્ય ન માને તો ઈન્દ્રિયો અને મન દ્વારા તે જ્ઞાનનો વિષય બને છે. નિરંતર પૌદ્ગલિક પદાર્થોની આસક્તિ તે પણ વિકૃતિ છે. પુદ્ગલ અને આત્મા બંને સંયોગ આ વિકૃતિ પેદા કરે છે. જેમ પૌદ્ગલિક પદાર્થોનો સંપર્ક વધે તેમ તેમ અજ્ઞાનતા વધે છે. પૌગલિક પદાર્થોની આસક્તિ તે દર્શનમોહ છે. તેની હાજરીથી જીવ પુદ્ગલાનંદી હોય છે. દર્શનમોહનો ક્ષય થતાં જીવમાં સાચું દર્શન થાય છે. એ દર્શન આત્મગુણોની શ્રદ્ધાવાળું હોય છે તેથી જ્ઞાન પણ સમ્યગુ હોય છે. અહીંથી, નિજગુણનો વિકાસ થાય છે.
ચેતનકું પુગલ યે નિશદિન, નાનાવિધ દુઃખ ઘાલે પણ પિંજરગત નાહરની પરે, જોર કછુ નહિ ચાલે. ૫૮
હે સુજ્ઞ ! અનંત સુખના સ્વામી એવો તું ચેતન, તારું નબળું પાસું જોઈને આ પુગલની મૂછ તને અનેક પ્રકારના દુઃખમાં ધકેલી દે છે. બકરી પિંજરમાં મૂકીને પકડનારો જેમ વાઘ જેવા પ્રાણીને લલચાવે છે. નાહર જેવો જોરાવર પશુ પણ બકરીના માંસની લાલચે પિંજરમાં પુરાય છે, દુઃખ પામે છે. પણ હવે તેનું કંઈ જોર ચાલતું નથી. તેને પૂરી જિંદગી એ લાલચના ભોગે પરવશતામાં પૂરી કરવી
પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ
૯૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org