________________
ચેતન નિશદિન પુદ્ગલના સંગે રહી તેના પ્રલોભનોમાં દુઃખ છતાં તેનો જ સંગ ઇચ્છે છે. પોતે જાતે જ તેમાં ફસાય છે, પછી તે એવો પરવશ બને છે કે તે અનંત શક્તિ યુક્ત છતાં તેનું કંઈ જોર ચાલતું નથી. તેના ભાગમાં તે જેટલું કષ્ટ નથી પામ્યો તેટલું હવે ત્યાગ કરવામાં પામે છે. જો તે સ્વેચ્છાએ ત્યાગ કરતો નથી તો તેને કાળ ત્યાગ કરાવી દે છે. જો તારે કાળને વશ થઈ તેનો સંગ છોડવો પડે તો પછી તું સ્વાધીન થઈને તેનો સંગ છોડે તો દુઃખથી છૂટે.
વાઘ બકરીને જોવા છતાં લાલચને ત્યજી દે તો તેને તે સમયે સુધાનું થોડું દુઃખ ભોગવવું પડે પણ પૂરી જિંદગીના બંધનના દુ:ખથી તે મુક્ત રહે છે. પ્રારંભમાં તને પૌલિક પદાર્થોના સુખની લાલચ છોડતાં દુઃખ લાગશે પણ પરિણામે તું સુખને પ્રાપ્ત કરીશ. કારણ કે સુખનું કારણ દુઃખ નથી પણ સુખ જ હોય છે. જો સુખના પરિણામે દુઃખ મળે તો તે દુઃખ જ હોય. જેવું કારણ હોય તેવું કારણ બને છે. માટી હોય તો ઘડો બને, સૂતર હોય તો વસ્ત્ર બને, જે મૂળમાં સુખનું કારણ હોય તે વડે સુખ જ મળે.
અનુકૂળ સંયોગોમાં સુખ લાગે છે તેનું કારણ તે વખતે અશુભનો વિયોગ છે. પૌદ્ગલિક સુખ માટે તારે જે પદાર્થ જોઈએ છે તે મેળવતા મળશે કે નહિ તેની ચિંતા તને માનસિક દુઃખ આપે છે. વસ્તુ મળતા સુખ મળશે કે કેમ તેની આકુળતા રહે છે. વળી વસ્તુ મળવા છતાં જો સંતોષ ન થાય તો દુ:ખ જ રહેવાનું છે. વળી પોતાને જે કંઈ સંપત્તિ મળી તેનાથી અન્યની સંપત્તિ વધી જાય તો કંઈ કારણ વગર તે દુઃખી થાય છે. સંપત્તિ મળે અને માન ન મળે તો તું દુઃખી થાય છે. આમ નિરંતર કંઈ મેળવવાની વૃત્તિ તને દુઃખ આપે છે.
પૌદ્ગલિક સંસારની રચના જ એવી ભુલભુલામણીવાળી છે કે જોનારને કંઈ સાચું સમજાય નહિ. અને તત્ત્વદષ્ટિ વગર સ્વરૂપનું સુખ મળે નહિ. જગતના જીવો સુખ શાંતિ માટે પ્રયત્ન કરે છે. નિરંતર એવી જ ઈચ્છા રાખે છે. તેને માટે માનવજન્મનો અમૂલ્ય
૯૨
પુગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org