________________
સમય વેડફી રહ્યા છે. છતાં તેમને સુખ શાંતિ મળતાં નથી. અને દુઃખ જ ભોગવે છે.
જીવ, તું જડની જેલમાં જકડાઈ ગયો છે, સ્વભાવે સુખનો સ્વામી લાલચમાં ફસાઈ ગયો. સાકર પોતે જેમ મીઠી છે તેમ તારા સ્વભાવમાં સુખ છે. પરંતુ સાકરને જો લીમડાના રસમાં બોળીને ખાય તો કડવાશનો અનુભવ થાય. તેમ તાત્ત્વિક સુખને છોડીને તું તેમાં પૌદ્ગલિક સુખને ભેળવવા જાય તો તું દુઃખ જ પામે. બુદ્ધિમાન તું વિચારજે કે પક્ષીને સોનાનું પિંજરું પણ પીડાકારી છે. પિંજરામાં સુંદર ફળ મૂક્યાં હોય તેની લાલચે પક્ષી પાંજરામાં પ્રવેશ કરે, ફળ ચાખ્યું, પછી ઊડવાનો વિચાર કરે તો પણ હવે પિંજરામાં ફસાયેલો ઊડી શકતો નથી.
તેમ તું પુદ્ગલમાં ફસાયા બાદ નીકળી શકતો નથી. એક પક્ષી લાલચથી પક્ષીપાલકને ત્યાં પુરાઈને મૂંઝાતું હતું. તેનો રખેવાળ એકવાર તેના દેશમાં જઈને આવ્યો. તેણે પક્ષીની ભાષામાં વાત કરી કે હું તારા સ્વજનોને મળીને આવ્યો. તારા સમાચાર આપ્યા ત્યારે એક વૃદ્ધ પક્ષી વૃક્ષ પરથી એકાએક નીચે પડ્યું અને મરણ પામ્યું. (ખરેખર નિશ્કેટ પડી રહ્યું હતું, આ વાત સાંભળી પેલું પક્ષી પિંજરની સળી પરથી પિંજરમાં જ નીચે નિશ્રેટ થઈ પડી રહ્યું. પક્ષીપાલક સમજ્યો કે જેમ પેલું વૃદ્ધ તેની વાત સાંભળીને મરણ પામ્યું. તેમ આ પક્ષી તે વૃદ્ધના મરણની વાત સાંભળી બીને આઘાતથી મરણ પામ્યું છે. તેથી તેને પિંજરમાંથી બહાર કાઠી ઓસરીમાં મૂક્યું. પેલું પક્ષી બહાર નીકળતાની સાથે જ પાંખ ફફડાવતું ઊડી ગયું.
આ દૃષ્ટાંત સૂચવે છે કે જો તારે છૂટવું હોય તો તને જ્ઞાની પુરુષો આપે છે તે બોધ ગ્રહણ કર. આ પુદ્ગલના પ્રલોભનથી ઉદાસીન થઈ જા. પેલા વૃદ્ધનું કહ્યું પક્ષીએ પહેલા માન્યું ન હતું તેથી લાલચથી લપટાઈને પકડાઈ ગયું હતું. પરંતુ હવે વડીલના સંકેતને સમજી ગયું કે તારે છૂટવું હોય મારી જેમ નિશ્રેટ બની જા. તે સંકેતને બોધરૂપે ગ્રહણ કરીને પક્ષી છૂટી ગયું. તેમ છે સુજ્ઞ !
પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ
૯૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org