________________
જડ છે. પહેરવો ગમે અને તીખી ન બદલ
પણ પવિત્ર બની શકતી નથી. તેમાં જે ચેતન તત્ત્વ છે તે પવિત્ર છે. પવિત્ર તત્ત્વોને ત્યાગીને જીવને આ અશુચિ કેમ ગમે છે ? દેહ અને જીવના મૂળ સ્વરૂપને વિચારે તો હમણાં ભ્રાંતિ દૂર થઈ સત્ તેની સમજમાં આવે.
જડ પુદ્ગલ ચેતનકુ જગમેં, નાના નાચ નચાવે છાલી ખાત વાઘકું યારો, એ અચરિજ મન આવે. પ૬
પરમાણુથી માંડીને મોટા પહાડ સુધીના દરેક દશ્યમાન પદાર્થો જડ છે. એણે જીવમાં ગજબનું આકર્ષણ પેદા કર્યું છે. જીવને નાનો એવો હીરો પહેરવો ગમે, અને મોટા પહાડ પરનું સૌંદર્ય ગમે. એને મધુર એવી મીઠાઈ ગમે અને તીખી તમતમતી દાળ પણ ગમે. સમય આવે જાડા ધાબળા ઓઢવા ગમે સમય બદલાયે ખુલ્લા શરીરે બેસવું ગમે. આવા કેટલાય ખેલ કરે છે. ક્યાં તું ચૈતન્ય જ્ઞાનમય મહાન તત્ત્વ છતાં તું જડનો નચાવ્યો નાચે છે.
જડ પુદ્ગલે જાણે ચેતન હોય તેમ તને બાંધી લીધો છે. તારે અને તારા કુટુંબને ખાવા, પીવા, પહેરવા, ઓઢવા કે સૂવા કેટલું જોઈએ ? અરે તું કદાચ મેવા મીઠાઈ ખાય. મીઠાં પીણાં પીએ. રોજે ત્રણવાર વસ્ત્રો બદલે, સુંવાળા ઓઢવાના રાખે. સૂવા બે-ત્રણ તળાઈવાળા ત્રણ ખાટલા રાખે તો પણ તારે કેટલું જોઈએ કે જેને માટે તું રાત્રિ-દિવસ કલાકો સુધી પરિશ્રમ ઉઠાવે છે ? કોઈ દરિદ્ર માણસને એવો શ્રમ કદાચિત કરવો પડે, પણ તારે તો પુણ્યયોગ છે. તને મોહે એવો ઘેર્યો છે કે ગમે તેટલું મળવા છતાં તેને વધારવામાં તું સુખ માને છે. સમૃદ્ધિની વૃદ્ધિ રક્ષણ માંગે, એ રક્ષણ કરવા તારે ચિંતા કરવી પડે. ચિંતા ઓછી કરવા માયા પ્રપંચ કરવાં પડે આવા તો તારે કેટલા નાચ કરવા પડે છે ?
જેમ વાઘ – જંગલના બીજા રાજા જેવો – બળવાન હોવા છતાં એક નાના સરખા પશુને વશ થઈ જાય. જંગલનાં પ્રાણીઓ તેનાથી ડરે તેવા પરાક્રમીને એક નાનું પશુ ખાઈ જાય કેવું આશ્ચર્ય ! એક નાનોસરખો મચ્છર મોટા હાથીને મૂંઝવી દે. તેમ જડ પદાર્થોએ માનવમાત્રને મૂંઝવી દીધા છે.
પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ
૮
.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org