________________
એ જ્ઞાન દેહ આધારિત નથી કે શરીરના શ્રમથી તે પ્રાપ્ત થાય. તે કેવળ શાસ્ત્ર જ્ઞાનના શબ્દો દ્વારા પણ પ્રાપ્ત નથી. મન દ્વારા પછી આત્માનું વેદન શક્ય નથી પરંતુ જેમ જેમ પરિણામની શુદ્ધિ થતી જાય તેમ તેમ જ્ઞાનસ્વભાવ પ્રગટ થાય. એ જ્ઞાન સમ્યગુજ્ઞાન છે. જડ અને ચેતન પદાર્થોને જેવાં સ્વરૂપો છે તેવા સ્વરૂપે જાણે છે. પણ તેમાં મારાપણાની બુદ્ધિને ભેળવતો નથી.
જેમકે જ્ઞાનનું આવરણ વધતાં ચશ્માંની જરૂર પડી. સુંદર આ કીમતી ચશ્માં લીધા પછી એને જોઈને રાજી થાય. મારાં ચશ્માં સુંદર છે કિંમતી છે, મને શોભે છે, જોતો જાય ને હરખાતો જાય. ચશ્મા લીધા, તેની ઉપયોગિતા જાણી, ચશ્માં જોયાં ત્યાં સુધી તો વાંધો નથી. પરંતુ મારા છે હું એના વડે શોભું આ રાગભાવ થવાથી જાણવાનું જે લક્ષણ હતું તે દૂષિત થયું. પોતાના જ્ઞાન ગુણનો ત્યાગ થયો અને રાગભાવમાં ચિત્ત સ્થિર થયું. આ પ્રમાણે રાગભાવમાં ચિત્તનું જોડાવું તે પૌદ્ગલિકભાવ હોવાથી અશુભકર્મના દલિકોનો આત્મ પ્રદેશ સાથે સંબંધ થાય છે. આત્માએ પોતામાં કરેલા અશુભભાવથી કર્મના પરમાણુઓ ગ્રહણ થયા. અને તે જ સમયે પોતાના જ્ઞાનગુણને આવરણ થયું.
વાસ્તવમાં તું જ્ઞાનસ્વરૂપી છું. એ તારો નિજગુણ છે. કોઈએ ઘર ત્યજીને સંન્યાસ લીધો તો ઘર, નગર, સ્ત્રી આદિ જે પરપદાર્થ હતા તે છૂટી ગયા પણ આત્માનું જ્ઞાન છૂટી જતું નથી. પોતાનો ગુણ છૂટતો નથી. ઘર, કુટુંબ આદિ પર છે તેથી છૂટી જાય છે, તેમ તે પદાર્થો પ્રત્યે કરેલા રાગાદિ છૂટી જાય. અજ્ઞાનવશ જીવ પોતાના સ્વભાવને ભૂલી જાય છે અને પદાર્થોના રાગમાં ચિત્તનું તાદાત્ય કરે છે. જેમ કોઈ પાગલ જીવ શુદ્ધ પીણાને ત્યજીને ગંદા ખાબોચિયાનું પાણી પીએ છે તેમ જીવ મોહનીય કર્મપ્રકૃતિના સંગે પોતાના શુદ્ધ જ્ઞાનગુણને ત્યજીને મલિન એવા રાગાદિનું સેવન કરે છે. દીર્ઘકાળથી જીવ પોતાના ગુણ પ્રત્યે ઝૂક્યો નથી. તેથી આ જન્મમાં પણ તેને અંતરમાં જ્ઞાનસ્વરૂપમાં ડૂબકી મારવામાં ગૂંગળામણ થાય છે. પરંતુ જો તે પુરુષાર્થ કરે તો કંઈ પોતાના ગુણમાં સ્થિર
પુગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ
૮૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org