________________
વિષય ગ્રહણ કરવાની શક્તિ હોય છે. શરીરના સંયોગથી આત્મા વિશેષ પરિણામ વડે તે વિષયોને જાણે છે. પરંતુ આત્મા સ્પર્શથી જણાતો નથી. રસથી ચખાતો નથી. ધ્રાણેન્દ્રિય વડે સૂઘાતો નથી. ચક્ષુ વડે દેખાતો નથી. અને કાન વડે તે સંભળાતો નથી. ઈન્દ્રિયથી અગોચર હોવાથી તે અરૂપી છે. અરૂપી આત્મા જે જે પ્રકારનું શરીર ધારણ કરે તે શરીર વડે ઓળખાય છે. આત્માનો મૂળ ગુણ અરૂપી છે. પરંતુ શરીરના સંયોગે વિવિધ રૂપ ધારણ કરે છે.
આવો શરીરનો સંગ તેને ક્યારથી અને કેમ થયો ? અનાદિથી જીવ શરીર ધારણ કરતો આવ્યો છે. તેનું કારણ જીવે પર ભાવમાં, પરપદાર્થના સંયોગમાં સુખ માન્યું છે. પરમાં રાગાદિ પરિણતિ કરવાથી તેને પરનો સંગ છૂટ્યો નથી.
રત્ન સઘન પદાર્થ હોવા છતાં તેમાં પહેલ પાડવામાં આવે છે, એ પહેલના કારણે તેમાં જુદા જુદા રંગ ઉત્પન્ન થાય છે. અથવા સ્ફટિકમણિ પોતાના લક્ષણથી સફેદ છે. પરંતુ તેને જેવા રંગનો યોગ કરવામાં તેવા રંગવાળું તે દેખાય છે. તેમ આત્મા લક્ષણથી તો અરૂપી છે પરંતુ કર્મના કારણે વિવિધ રૂપ ધારણ કરે છે. અને તે રીતે પોતાને દેહધારી જાણે છે, તેથી અરૂપી છતાં રૂપીપણાનો આરોપ પામે છે.
મૂળ તો નામકર્મની પ્રકૃતિના ઉદયે ગમે તે ગતિ પામે છે. એકેન્દ્રિયાદિ જાતિ પામે છે. ઔદારિક આદિ શરીર પામે છે, ત્રસ કે સ્થાવરપણું પામે છે અર્થાત્ દેહરહિત છતાં દેવીપણે સંસારમાં રહે છે. આ અવસ્થા તેરમા ગુણ સ્થાનક સુધી રહે છે. ચૌદમા ગુણસ્થાનક કે રૂપીપણું સમાપ્ત થઈ જીવ સ્વભાવગત અરૂપીપણાને પામે છે. ત્યારપછી અનંતકાળ એ સ્વરૂપમાં રહે છે. નિજ ગુણ ત્યાગ રાગ પરથી થિર, ગહત અશુભ દલ થોક, શુદ્ધિ રુધિર ત્યજ ગંદો લોહી, પાન કરત જિમ જોક. ૫૫ નિજ ગુણ = આત્માનો સ્વાભાવિક ગુણ. જોક = જળો આત્માનો સ્વાભાવિક ગુણ ચૈતન્ય છે. તે જ જ્ઞાનસ્વરૂપ છે
८४
પુગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org