SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ નવ નંદરાજાઓ થઈ ગયા. દરેકે એક એકથી ચઢિયાતી નવ સોનાની ડુંગરીઓ બનાવી હતી, અને જોઈને હરખાતા હતા. રાજાપણાના મદમાં તેમને ખ્યાલ પણ ન હતો કે આ પદાર્થો મારી સાથે આવવાના નથી. અને વળી તે દરેક આગળના રાજાને આ સુવર્ણ ડુંગરી મૂકીને જતા જોતાં છતાં પુદ્ગલના રાગમાં તે દરેક સુવર્ણ ડુંગરી બનાવતા ગયા. એક દિવસ તે સૌની નનામીની ભવ્ય સ્મશાનયાત્રા તે સુવર્ણ ડુંગરી પાસે થઈને નીકળતી પરંતુ તે એક પણ રાજા આંખ ખોલીને જોઈ શક્યા નહિ કે હાથ ખુલ્લા હોવા છતાં એક તોલો સોનું પણ લઈ જઈ શક્યા નહિ. આનો મર્મ તને કંઈ સમજાયો ? તો પછી તેઓ શું લઈ ગયા ? આ સોના આદિમાં, રાજ્યના વૈભવમાં, ઘોડા હાથીની વિપુલતામાં, સૈન્યની સલામીમાં જે મદ, મોટાઈ કે મૂછ રાખી તેનો સંસ્કાર, તેની વાસના લઈ ગયા. આમ સ્વના વૈભવને ભૂલેલા તે રાજા કે જગતનો કોઈ પણ પ્રાણી આ દેશને પામે છે. પરવસ્તુમાં મૂંઝાઈ અશુભકર્મોની ગાંસડી સાથે વિદાય થાય છે. માટે તું સ્વ-પરનાં ભેદને જાણીને સ્વમાં વસજે. સ્વ એટલે ચૈતન્યનું રાજ. જેમાં જાણવા માત્ર સિવાય કોઈ વળગણા નથી. જ્ઞાનાનંદથી પરિપૂર્ણ છું. પરસંગથી તું રહિત એક અવિનાશી તત્ત્વ છું. તે કેવળ શુદ્ધ ઉપયોગમાં રમણ કરે છે. પોતાનામાં જ રમણ કરનારું આ ચૈતન્ય પરમ સુખરૂપ છે, તે સ્વરૂપસુખ હોવાથી કોઈ બાધા તેમાં આવતી નથી કે વધઘટ થતી નથી. એ સુખ મહાપુરુષોએ પ્રાપ્ત કર્યું છે. - હવે વિચાર કરજે નંદરાજાએ શું મેળવ્યું અને મહાપુરુષોએ જે મેળવ્યું તે શું છે ? જીવ અરૂપી રૂપ ધરત તે, પર પરિણતિ પરસંગ; વજરત્નમાં ડંક યોગ જિન, દર્શિત નાનારંગ. જીવ અર્થાત ચૈતન્યસ્વરૂપ આત્મા. દરેક ઈન્દ્રિયોને પોતપોતાના - ૫૪ પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ ૮૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004902
Book TitlePudgalno Parihar Parmarthni Prapti
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1998
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy