________________
આત્મિક જ્ઞાન નથી પરંતુ સ્પર્શદિવાળું તત્ત્વ છે. લક્ષણથી જ જે જડરૂપે પ્રગટ છે તેનો મર્મ વિપરીત જ્ઞાનવાળો કેમ જાણે ? કારણ કે તેની બુદ્ધિમાં ભેળસેળ થયું છે. આત્માના જ્ઞાનઉપયોગ વડે જણાતા પદાર્થો શેયમાત્ર છે. જીવ એમ માને છે આ પદાર્થ મારા છે અથવા આ દેહરૂપે હું છું. વળી જડે એવો પ્રભાવ પાડ્યો છે કે પોતે ચેતનરૂપ છે તેમ ભાસ ઊભો થયો છે.
હે સુજ્ઞ તુ વિચાર કર તારા ઘરમાં રહેલાં વસ્ત્ર, પાત્ર વગેરે પદાર્થોને વર્ષો સુધી એક જ સ્થાને મૂકી રાખ તે ત્યાંથી ગતિ કરતાં નથી કે તું વર્ષો પછી તેમને હાથમાં લે તો તારા વિરહનું દુઃખ તેમને લાગતું નથી. પણ જો એ પદાર્થો તારાથી અળગા થાય તો તને તેના વિયોગનું દુઃખ થાય છે. તું ચેતન એ જડ પદાર્થો પાછળ પોક કેમ મૂકે છે ? કારણ કે તને હજી જડ તથા ચૈતન્યનો મર્મ કે ભેદ સમજાયો નથી.
જેમ નશો કરેલો માનવ પોતાનાં સ્ત્રી કે બહેન સાથે પણ યોગ્ય વ્યવહાર કરી શકતો નથી. નશામાં તે ભાન ભૂલી જાય છે. ન બોલવાનું બોલે છે, ન જવાને સ્થાનોએ જાય છે. તે પોતે કોણ છે તે ભૂલી જાય છે. તેમ મોહવશ માનવ સ્વ એવા આત્મા અને પર એવા પૌલિક પદાર્થોનો ભેદ જાણતો નથી. સ્વાત્માનું તેને નામ જ છોડી દીધું છે. અને પરમાં સ્વાત્મબુદ્ધિ કરીને સ્વની સાચી ઓળખાણ તે વિસરી ગયો છે.
હે સુજ્ઞ તને જે ઇન્દ્રિયથી જણાય છે તે એક પણ પદાર્થ ચેતન નથી. જડ છે. તેની કોઈ હાલવા ચાલવાની ક્રિયા ચેતનની ફુરણા વગર થતી નથી. આવો સ્પષ્ટ ભેદ જણાવા છતાં તું તેનો મર્મ જાણતો નથી તેથી અજ્ઞાનવશ તે પદાર્થોને વશ પડી નશીલા માણસની જેમ તું નાચે છે. ત્યારે તને સ્વ-પરનો વિવેક જણાતો નથી કે તું કોણ છું? કોઈ શ્રીમંતને સ્વપ્નમાં ચપ્પણિયું લઈને પોતે ભીખ માંગતો દેખાય તો પણ તેને તેનો અણગમો લાગે છે. તું અનંતશક્તિનો સ્વામી – અત્યંત ધનાઢ્ય અહોરાત્રિ પુદ્ગલની માંગ ર્યા કરે છે તો તેનો તને અણગમો કેમ થતો નથી ?
૮૨
પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org