________________
એટલે કદાચ પૌદ્ગલિક સુખનો રાગ ભોગવતો હોય પણ તેનું પરિણામ તો દુઃખદ છે. રાગ અર્થાત્ મોહનીય કર્મનું આત્મા ઉપર દબાણ છે ત્યાં સુધી જીવ પુણ્ય કે પાપના ફળનો ભોક્તા બને છે, તેથી સ્વરૂપનું સુખ પામી શકતો નથી.
પુગલનો રાગ એટલે મોહ. મોહ એટલે સંસારના રાજ્યનો સ્વામી. તે જીવને મોહરૂપી ગુફા બનાવીને તેમાં રાખે છે. અર્થાત્ તે પ્રાણીમાત્રની હૃદયની ગુફામાં રહી ગૂઢપણે કામ કરે છે. તેથી મોટા સમ્રાટો પણ તેને આધીન વર્તે છે. મોહનું સૈન્ય કે સાધનો પણ જીવથી કળવામાં આવતા નથી. મોહનું રાજ્ય પરિણામે દુઃખદ છતાં જીવ તેને આધીન રહેવામાં સુખ માને છે. જો એક વાર મોહની લીલાની યથાર્થ ઓળખાણ થઈ જાય તો જીવ મૂંઝાઈને પાછો વળે. તે સિવાય તો આ મોહના રાજ્યમાં ફસાયેલાને લમણે જન્મમરણના ફેરા જ લખાવાના છે.
રાગ એ આ મોહની સંતતિ છે. એ રાગમાં ફસાયેલો શું પામ્યો ? કદાચ શુભકર્મના યોગે ખમા ખમા થયો, પણ બીજા જન્મમાં તો ક્યાંય ફેંકાઈ ગયો. એવી જગાએ જભ્યો કે તારો પડછાયો પણ પાપરૂપ મનાયો. ક્યારેક વળી દેવલોકમાં ગયો તો કહેવાતું સુખ પામ્યો, પછી ત્યાંથી ધરતી પર એવો પટકાયો કે કોઈ તને આવકાર આપવા પણ આવ્યું નહિ. અને વળી નરકમાં ગયો ત્યારે તો તું એ જ ખમા ખમા થતો એક વાર સંપત્તિવાન હોવા છતાં તારા દુઃખની કોઈ હદ ના રહી. તિર્યંચમાં જઈને નિરંતર ભયથી વ્યાકુળ રહ્યો. આમ ચારે ગતિમાં તને મળ્યું શું ? કદાચ શુભના યોગે કંઈ સુખ મળ્યું તે પણ ચાર દિવસના ચાંદરણા જેવું કારણ કે સ્વરૂપમય સુખ સિવાય સાચું સુખ તો તને ક્યાંયે મળે તેમ નથી.
જડ લક્ષણ પરગટ જે પુદ્ગલ, તાસ મર્મ નવિ જાણે મદિરાપાન છક્યો જિમ મદ્યપ, સ્વ-પર નવિ પિછાણે. પ૩
આત્માનાં-ચૈતન્યનાં અને જડનાં લક્ષણ પ્રગટ જ છે. પૌદ્ગલિક પદાર્થ માત્ર જડ છે. અર્થાત્ તેનામાં સુખાદિભાવ નથી. તેના લક્ષણમાં
પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ
૮૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org