________________
કરે છે. જેમ ભમરી પોતે જ પોતાનું ઘર બાંધીને તેમાં પુરાઈ રહે છે, તેમ તું વિવિધ દેહને ધારણ કરીને પુરાઈ રહ્યો છું.
ગદંભને સાકર કડવી લાગે છે, તેથી તેનો તિરસ્કાર કરે છે. અને ઊંટને લીમડો મીઠો લાગે છે તેથી ચાવી ચાવીને આરોગે છે. તેમ પુદ્ગલાનંદી જીવ દેહાદિમાં રાગ કરી તેને મીઠો માને છે. અને આત્માનો અનાદર કરીને તેનો દ્વેષ કરે છે.
પૌગલિક રાગની સંતતિ ઘણી મોટી છે. ચેતનને સ્વરૂપમાં સ્થિર કેવી રીતે થવા દે ? પૌગલિક પદાર્થોમાં સુખની અપેક્ષા રાખીને જીવ તે વધુ ને વધુ મેળવવાની ઈચ્છા રાખે છે. તેથી તેની તૃષ્ણા કે લોભ વૃદ્ધિ પામે છે. લોભની વૃદ્ધિ થતાં તેની સાથે પદાર્થમાં માયા થાય છે. ઈચ્છિત વસ્તુઓ સરળતાથી પ્રાપ્ત ન થાય તો તે પ્રપંચ આદરીને પણ વસ્તુ મેળવે છે. આમ રાગ લંબાતો જાય છે. વળી પદાર્થો મેળવ્યા પછી તેમાં સ્વામીપણાનો ભાવ મિથ્યાભિમાન પેદા કરે છે. તે માનરૂપ જીવને મોટાઈનું ભાન કરાવે છે. જો માન મોટાઈ ન સચવાય તો તે વ્યક્તિને ક્રોધ, આવેશ કે આક્રોશ પેદા થાય છે. આમ રાગની જુદી જુદી અવસ્થામાં ઘેરાયેલા જીવને સ્વરૂપ સ્થિરતા રહેતી નથી. તેના ફળ સ્વરૂપે તે નવા કર્મબંધ કરીને ચારે ગતિમાં ભ્રમણ કરે છે.
આ પરિભ્રમણ કોણ કરાવે છે ? કોણ જીવને બાંધે છે ? ભાઈ ! ભમરી જેમ પોતાના જ દેહના પદાર્થ વડે ઘર બાંધે છે અને પછી તેમાં પુરાય છે. તેમ જીવ પોતાના જ ભાવ વડે કર્મ રાગાદિનું સર્જન કરીને બંધાય છે. જ્યાં સુધી આ રાગભાવ આસક્તિનો ભાવ છે ત્યાં સુધી પોતાના સ્વરૂપનું જ્ઞાન ભાન થતું નથી. પૌગલિક પદાર્થોના સંસર્ગથી જીવમાં વિપરીત ભાવ રહે છે. તેથી તે આત્મસ્વરૂપના સુખને જાણી શકતો નથી. તેથી તે જન્મ-મરણના દુ:ખને પામે છે.
પૌદ્ગલિક રાગ એ કર્મયુગલોને નિમંત્રક છે. વળી તે રાગ જ ષમાં પરિણમે છે. આવી ચંચળ અવસ્થામાં ચેતન સ્વરૂપમાં ચિત્ત કેવી રીતે સ્થિરતા પામે ? રાગ એ અશુભભાવ કર્મ છે.
પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org