________________
પૌદ્ગલિક પદાર્થમાં સુખનો ભ્રમ પેદા થાય છે. સુંદર સિંહાસન પર રાજાના બેસવાથી સિંહાસન સુખી થતું નથી. તે તને સુખી કેમ કરી શકે ?
મનુષ્યનો પડછાયો હોવા છતાં પડછાયાને મનુષ્ય માનીને વ્યવહાર થતો નથી. મનુષ્યમાં અને પડછાયામાં અંતર છે. સુખ નામનો ગુણ આત્માનો હોવા છતાં પૌદ્ગલિક સુખ અને આત્મિક સુખમાં અંતર છે. આત્મિક સુખ સ્વાધીન છે. મોહનીય કર્મે પર પદાર્થોમાં સુખની ભ્રમણા પેદા કરી છે. યોગીઓનો આ ભ્રમ ભાંગી જવાથી તેઓ કોઈ પણ પ્રકારનાં પૌદ્ગલિક સાધનો સિવાય સુખી છે. કોઈ સાધુ-સંત પાસે સ્ત્રી, પુત્ર, પરિવાર, ધન, ધાન્ય, સોના, રૂપ, મહેલાતો, દોલત જેવા કોઈ સાધનો ન હોવા છતાં તેઓ સુખી છે. તેમ જ્ઞાનીજનોને તે સર્વ પદાર્થોના યોગ છતાં તેના સંયોગમાં સુખની મૂછ નથી. એ સુખના બાહ્ય સાધનો હોવા છતાં નિમિત્ત માત્ર છે. જ્ઞાનીની દૃષ્ટિ નિમિત્તમાં નથી પણ ઉપાદાન – આત્મામાં રહેલા સુખ તરફ છે. | સ્પર્શ રસ ગંધ વર્ણના જે વિવિધ પ્રકારો છે તે પુદ્ગલના વિકારો છે, તેને આત્માનો સંયોગ થવાથી અજ્ઞાનવશ સુખદુઃખની ભ્રમણા પેદા થાય છે. કારણ કે વાસ્તવમાં તે તે પદાર્થોમાં જીવને અનુકૂળતામાં રાગ પેદા થાય છે તેને તે સુખ માને છે. અને પ્રતિકૂળતામાં વૈષ પેદા થાય છે. તેને તે દુઃખ માને છે. આમ જુઓ તો જડ પદાર્થને તો કંઈ જીવ સાથે લેવાદેવા નથી. અનુકૂળતા કે પ્રતિકૂળતા નથી. માત્ર જીવને જ ભ્રમ પેદા થયો છે કે હું સુખી કે દુઃખી છું.
પુદ્ગલ રાગ ભાવથી ચેતન, થિર સરૂપ નહિ હોત, ચિહું ગતિમાં ભટકત નિશદિનઈમ, જિન ભમરી બિચ પોત. પર
હે ચેતન ! પૌલિક એવા દેહાદિમાં તું રાગભાવથી તાદામ્ય કરે છે, તેથી તારું સ્થિરતારૂપી જે સ્વરૂપ છે તે તે જાણી શકતો નથી. પૌદ્ગલિક રાગાદિમાં કેવળ ચંચળતા હોવાથી તે સ્વરૂપમાં સ્થિર થઈ શકતો નથી. અને તેથી ચારે ગતિમાં અહોરાત્ર ભટક્યા
પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ
os
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org