________________
છે. વળી તેમાં સુખ મળશે તેવી અપેક્ષાએ તે વિવિધ પદાર્થો મેળવે છે. પણ તે પદાર્થો તેને સુખ જ આપે તેવું નથી. તે પદાર્થોની સ્થિતિ બદલાય, ફૅશન બદલાય તો તે પદાર્થો વ્યર્થ જાય છે. વળી તેને નવા પદાર્થોની શોધ કરવી પડે છે. પરંતુ એ પરિશ્રમમાં તેને સુખની આશા હોવાથી રાત્રિ-દિવસના ભેદ વગર દોડે છે, તેમાં પરવશતા છે તેવું જણાયું નથી તેથી તેનું દુઃખ પણ નથી. અજ્ઞાનના અંધકારથી ઘેરાયેલા તેને સ્વાધીનતાની ખબર નથી.
વળી ક્યારેક તેને આ પરવશતાનો વિચાર આવે ત્યારે તેની બુદ્ધિ કહે છે કે શું કરીએ આપણા ઉદય કર્મનો બંધ જ એવો છે કે રાગાદિથી છુટાતું નથી. આવો ભ્રમ પેદા કરી એ પરવશતાને બદલે ઉદયને આધીન થઈ જાય છે. જેમ પેલું માંડું ઘડામાં ભરેલા ચણા મેળવવા ઘડામાં હાથ નાંખે છે. ચણાની મૂઠી વાળે છે. ઘડાનું મુખ સાંકડું છે તેથી વાળેલી મૂઠી સાથે હાથ બહાર નીકળતો નથી. માંકડાને ભ્રમ થાય છે આ ઘડાએ મને પકડ્યો છે. વાસ્તવમાં મૂઠી ખોલે તો હમણાં તેનો હાથ બહાર નીકળે, પણ મૂઠી ખોલે હાથ છૂટે સાથે ચણા છૂટી જાય તે તેને રુચતું નથી. માંકડાને ચણા લેવા છે અને હાથ પણ બહાર કાઢવો છે, બંને શક્ય નથી.
આ પ્રમાણે પૌદ્ગલિક સુખની આકાંક્ષામાં જીવ બંધાય છે. હવે તેને બંધનથી છૂટવું છે પરંતુ પેલા સુખના પદાર્થો છોડવા નથી. એક પરિણામમાં બંધન અને મુક્તિ બંને સાથે રહી શકતાં નથી. આત્મસુખ જોઈએ તો કામસુખ છોડવું પડે. જે આત્મસુખમાં શ્રદ્ધા કરે છે તેનું કામસુખ નષ્ટ થઈ જાય છે. પણ બંને સાથે રહી શકે તેમ નથી.
-
મોહના પ્રભાવથી પોતાનું સ્વતંત્ર સુખ તે જાણી શકતો નથી. પૌદ્ગલિક પદાર્થોના પરિચયથી, તેના સંયોગ – વિયોગથી સુખદુઃખ માનવામાં એવો અભ્યાસી થઈ ગયો છે કે પોતે જ જાણે કોઈ પૌદ્ગલિક પદાર્થ હોય, એમ તેને ટકાવી રાખવા પ્રયત્ન કરે છે.
ઊંટને બાવળ ખાતાં કાંટા વાગવાથી તેના મુખમાં લોહી નીકળે છે. તે લોહીની મીઠાશને બાવળની મીઠાશ માને છે. તેમ જીવને
પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ
७८
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org