________________
દેશ-પરદેશ ગયો અને વર્ણ સ્પર્શ રંગના આકારો અને રૂપો જોઈને તો તું મુગ્ધ થઈ ગયો. તેને થયું આવા સુખ કરતાં વળી વિશેષ સુખ શું હોય ? જવા દો આ ધર્મકર્મની વાત. છતાં પદાર્થો હોય ને સુધા વેઠવાની ? સ્વાદિષ્ટ પીણાં મૂકીને તૃષાનું દુઃખ સહન કરવાનું ? સુંદર વિલેપનનાં સાધનો હોવા છતાં શરીરને સુખ નહિ આપવાનું ? અદ્યતન સાધનો સામે હોવા છતાં તેના પ્રત્યે અનાસક્ત રહેવાનું ? સ્ત્રી પુત્રાદિ મારા હોવા છતાં મારે ત્યાગ કરવાનો ? દેશવિદેશમાં જોવાનું મૂકીને તીર્થોમાં ફરવાનું ? સુરીલા સંગીત છોડીને ત્યાગ. વૈરાગ્યનાં ગીતો સાંભળવામાં શું મજા આવે ? ત્રણ વખત સ્નાન કરવાનું છોડીને અજ્ઞાની રહેવામાં શું સુખ મળે ? આમ તને કેટલાય લોભામણાં નિમિત્તો મળશે ત્યારે મોહવશ તું રત્નનો ત્યાગ કરીને કાચનો ટુકડો ગ્રહણ કરીશ. અને મળેલો અમૂલ્ય અવસર ગુમાવીશ. હવે આગળ વિચાર.
પરવશતાદુઃખ પાવત ચેતન, પુદ્ગલથી લોભાય ભ્રમ આરોપિત બંધ વિચારત, મરકટ મૂઠી જાય. ૫૧
અગાઉ જણાવ્યું તેમ પુદ્ગલના ઊજળી પદાર્થોની ઊજળી ચમકતી બાજુથી કે અનુકૂળતામય સુખપ્રદ સંયોગથી જીવ લોભાય છે, પણ તેમાં નરી પરવશતા હોવાથી તે દુઃખરૂપ જ છે. કેવી પરવશતા ? જો તેને સ્પર્શ સુખ જોઈએ તો શીત ઉષ્ણાદિ પદાર્થોને મેળવવા પડે, સ્ત્રીની ખુરશી પર આધાર રાખવો પડે, જો તેને સ્વાદનું સુખ જોઈએ તો આહાર પદાર્થો મેળવવા પડે તે મનગમતા હોવા જોઈએ. જો તેને ધ્રાણેન્દ્રિયનું સુખ જોઈએ તો સુગંધી પદાર્થો મેળવવા પાછળ દ્રવ્ય ઉપાર્જન કરવું પડે. ચક્ષુને ગમતા રૂપાદિ જોવા માટે તેને તે તે પાદર્થો પાછળ ભટકવું પડે. એમ શબ્દાદિ દ્વારા સૂરનું સુખ મેળવવા માટે ક્યાંક જલસા ગોઠવવા પડે. ' અર્થાત બહારમાં કંઈક પદાર્થો મેળવ્યા વગર તે એક પણ પ્રકારનું સુખ મેળવી શકતો નથી. એને રાગ કરવા કે દ્વેષ કરવા બહારમાં કંઈ પદાર્થનું નિમિત્ત જોઈએ છે. મોહજનિત ચેષ્ટા કરવા માટે પણ બહારમાં કંઈ જડ કે ચેતન પદાર્થની જરૂર ઊભી થાય
પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ
oto
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org