________________
લોભાઈ ન જતો સ્થાવરકાયમાં જન્મમરણ કરતો, એકેન્દ્રિયાદિ જાતિમાંથી નીકળેલો તું આ માનવજન્મને કયા સાધન અને પુરુષાર્થ વડે પામ્યો ? ત્યાં કયા શાસ્રઅધ્યયન કર્યું હતું ? કયા દેવને પૂજ્યા હતા ? ક્યા ગુરુનો તને સથવારો મળ્યો હતો ? કઈ દયા પાળી હતી ? કેવા ચારિત્રને પામ્યો હતો ? કયા સુકૃત્યો તેં કર્યાં હતાં ? વ્રત, તપ, પચ્ચખ્ખાણનું કયાં જ્ઞાન હતું ?
આવું કંઈ પણ કર્યા વગર કેવળ દુઃખ સહીને તું અહીં સુધી આવ્યો. જો કૃતજ્ઞતાએ વિચારીએ કે પ્રભુને તેં પૂજ્યા ન હતા પણ પ્રભુએ તને સુખ મળે તેવી ભાવના કરી હતી. એવા કોઈ ન્યાયે તું આ દુર્લભ એવો માનવદેહ પામ્યો, તેમાં વળી તારે શ્રવણે પરમાત્માનાં વચન પડ્યાં. તારા નેત્રે પરમાત્માનાં દર્શન મળ્યાં. તારું મન તે પ્રત્યે આકર્ષાયું. તને સદ્ગુરુના બોધનો યોગ મળ્યો. આવી દુર્લભ વસ્તુઓની અલ્પાધિક પ્રાપ્તિ થયા પછી તું ચૂકી ના જતો.
બાળક કોઈ મીઠાઈની લાલચે તેણે પહેરેલી કીમતી વીંટી આપી દે, તેમ તું આવો અવસર મળ્યા પછી પૌદ્ગલિક સાધનોમાં લોભાઈ ન જતો. તું વિચારજે કે જન્મ્યો ત્યારે તું સાથે શું લાવ્યો હતો. પૂર્વના પુણ્યે તને ધનસંપત્તિ મળી ગઈ, વળી તે તેમાં વૃદ્ધિ કરવા જિંદગી ગાળી, પરંતુ તું સમૃદ્ધિની વૃદ્ધિમાંથી શું લઈ જવાનો ? અને જે લઈ જવાનું છે તેને વધારતો કેમ નથી ?
પૌદ્ગલિક, ભૌતિક કે સાંસારિક પદાર્થોનું સેવન તેં દીર્ઘકાળથી કરેલું છે. જે જે જન્મમાં જે જે ઇન્દ્રિયો મળી તે પ્રમાણે તે પદાર્થો મેળવવા પ્રયાસ કર્યો, પદાર્થો મેળવ્યા અને તેમાં સુખ છે માન્યું. તેવી રીતે કાળ વ્યતીત થયો. આ સંસ્કાર કે સંજ્ઞાબળ એટલું ગાઢ થઈ ગયું કે માનવજન્મ મળ્યો તેમાં પુણ્ય યોગે તને ઘર, સામગ્રી, ધન ઐશ્વર્ય, યશકીર્તિ, કુટુંબ સ્ત્રી-પુત્ર પરિવાર, મિત્ર-સગા-સ્નેહીઓ મળ્યાં. તને એમ થાય કે આમાં હું ક્યાં નિવૃત્ત થાઉં ? ક્યાં હાથ મૂકું ? ક્યાં પગ મૂકું ? પૌદ્ગલિક પદાર્થોનો સંયોગ અને તેના પ્રત્યેની આસક્તિમાં તું એવો ખોવાઈ ગયો કે પૂરો આત્મા જ ભુલાઈ ગયો.
οξ
Jain Education International
પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ
For Private & Personal Use Only
www.jainelibrary.org