________________
પ્રતિમા ઘડનાર આકૃતિના નિશાન પ્રમાણે ઘા મારતો જાય અને સુંદર પ્રતિમા ઘડાતી જાય છે. તેમ તું મોહરાજાની પ્રકૃતિનું નિશાન કરી લે અને પછી મિથ્યાત્વ જેવી પ્રકૃતિ ઉપર આત્મજ્ઞાન વડે ઘા મારતો જા તો તારું સ્વરૂપ પ્રકટ થશે. મોહનીય પ્રકૃતિને આત્મજ્ઞાનના ટાંકણા વડે ઘા થાય છે. એમ સમજી આ અવસરને વધાવી લેજે.
વાસનાનો ત્યાગ એ આત્મભાન છે. મન જ્યારે વિષયોની માંગ છોડે છે, ત્યારે વાસનાઓ સ્વયં શાંત થઈ જાય છે. મન નિરંતર દોડતું રહે છે, તેને જ્ઞાનમાં પરોવી દેવું તે સંયમ છે. વાસના મનને દોડવાની પ્રેરણા આપ્યા જ કરે છે. સ્વરૂપથી વિપરીત દિશામાં ભમાવે છે. તે દેહ અને દોલત, માન મદના ચક્રાવે ચઢાવી દે છે. તેમાં તે ઇન્દ્રિયોનો સાથ લે છે. પછી તો પરવશતા અને આકુળતાનો ગુલામ બની જાય છે. પોતામાં રહેલી અમૃતની ધારાને તે જાણી શકતો નથી. પોતાના અંતરઘટમાં સુખ છતાં તે ઇન્દ્રિયોનું લશ્કર લઈ બહારના જગતને સર કરી સુખની શોધમાં નીકળી પડે છે. પુણ્યયોગે કંઈક અનુકુળતા મળે તે જાણે છે કે એ પ્રયત્નોથી સુખ મળ્યું. અને તે લાલચમાં લપટાઈને ત્યાં જ પાછો સુખના શિખર પર ચઢવા મથે છે. ત્યાં તો આયુષ્ય પૂરું થઈ કયા સ્થાને પહોંચે છે તે પોતે જાણી શકતો નથી. માટે મોહજનિત વાસનાને મૂળમાં ઘા કરીને તેનાથી મુક્ત થા.
નદી ગોલ પાષાણ ન્યાય કરી, દુર્લભ અવસર પાયો. ચિંતામણી તજ કાચ શકલ સમ, પુદ્ગલથી લોભાયો. ૫૦
તું જાણે છે કે આ નદી પર પડેલા પથ્થરોને કોણે ઘડ્યા ? નદીના પ્રવાહ, તપ અને હવા જેવાં કારણોથી નિમિત્ત પામીને ખડક પરથી પટકાયેલી શિલા પણ એક સુંદર પથ્થરની આકૃતિ પામે છે. અને નદી કિનારે પડેલા બેડોળ પથ્થરો પણ એ નિમિત્તોના યોગથી સુંદર આકૃતિ પામે છે. આ દૃષ્ટાંત વડે તે પણ જાણજે કે તને યોગાનુયોગ આવો અવસર મળ્યો છે. જેમ કોઈ ચમકતો કાચ જોઈને પોતાની પાસે રહેલું રત્ન ફેંકી દે તેમ તું પૌદ્ગલિક ચમકારા જોઈ
પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ
o૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org