________________
કે જેની જાળમાં ફસાવાથી તને સ્વરૂપ પ્રાપ્તિની શ્રદ્ધા, રુચિ કે ભાવ ઊઠતા નથી, તારી ભૂમિકાને યોગ્ય ધર્માચરણ તને રુચતું નથી, તો કોઈ સદ્દગુરુના બોધ મોહને જીતવાની ચાવી મેળવી લે. સંસારના પરિભ્રમણના મૂળ કારણને જ ઘા માર.
જેમ મધદરિયે કોઈ વ્યાપારીના હાથમાંથી લાખેણી વીંટી પડી જાય તો તે પ્રાપ્ત થવાની શક્યતા નથી. તેમ આ અવસર ચૂક્યા પછી તે તરતમાં તને પુનઃ પ્રાપ્ત થવાની શક્યતા નથી એમ જાણજે.
અનાદિકાળથી આ મોહના પ્રભાવને કારણે આત્માની સ્વતંત્રતા હાસ પામી ગઈ છે. મોહે તને જડ પદાર્થોમાં સુખનું સ્વપ્ન આપીને પરાધીન બનાવ્યો છે. જડના સંસર્ગે તને ચારે ગતિમાં પરિભ્રમણનું નજરાણું આપ્યું છે. વળી મોહજનિત સંસ્કારથી તું એ નજરાણામાં લોભાઈ ગયો છું, તેથી તે દેહમાં જ સુખ માન્યું છે. આત્મા સુખરૂપ છે એ તને કલ્પિત લાગે છે. મોહે તારામાં સમાં અસનો અને અસમાં સનો ભાવ પેદા કર્યો છે.
જેમ પેલી ચકલી દર્પણમાં પોતાની આકૃતિ જોઈને અન્ય ચકલી છે તેમ માની તેની સામે ચેષ્ટા કરે છે, તેમ તું દેહપ્રમાણ તારી આકૃતિ જોઈને તેમાં સુખ છે તેવી ચેષ્ટા કરે છે. તે સમયે તું ભૂલી જાય છે કે હું આ દેહતી ભિન્ન છું. અનંતગુણ સંપન્ન તારી સર્વ ધૂરા હૈ મોહવશ જડને સોંપી દીધી છે. તેથી તે દુ:ખી થઈ રહ્યો છે. મોહની સત્તાના પ્રભાવમાં અંજાયેલા તને એવો ખ્યાલ આવતો નથી હું મોહસ્વરૂપ નહિ પણ મોક્ષસ્વરૂપ છું. તું જ તારા
સ્વરૂપને અન્ય જાણી મોહજનિત ચેષ્ટા કરે છે. - આ મોહરાજાના સંપર્ક તું શું શું પામ્યો ? વિચારતાં કંઈ હાથ લાગશે નહિ તને જન્મ-મરણની વ્યથાનો ખ્યાલ નથી. તેનાં ભોગવેલાં દુ:ખોનો ખ્યાલ નથી. મોહરાજાનો પ્રભાવ જ આ છે કે તને કંઈ જણાવા દે નહિ. યોગાનુયોગ તને અવસર મળ્યો છે. મહાપુણ્યોદયે તને મોહરાજાનાં કાર્યો જાણવા મળ્યાં છે. એટલે હવે અવસર ચૂકવા જેવો નથી.
૦૪
પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org