________________
છે, તેમ અધ્યાત્મ દૃષ્ટિએ પુણ્યની વ્યાખ્યા કરી છે કે પવિત્ર કરે તે પુણ્ય. ત્રણે યોગની શુભ પ્રવૃત્તિ વડે ઉપયોગની શુદ્ધિ સધાય છે. તેથી શુભભાવ સ્વરૂપ લક્ષે થતો હોવાથી શુદ્ધભાવને ગ્રહણ કરવાની ક્ષમતા લાવે છે. શુભભાવથી શુદ્ધ ઉપયોગ બનતો નથી. પરંતુ શુભભાવની ક્ષમતા શુદ્ધ ઉપયોગ સુધી પહોંચાડે છે. અશુભભાવમાં તે ક્ષમતા નથી.
શાલિભદ્ર જેવાનું નાનું સરખું પુણ્યકાર્ય, ભિક્ષાદાન, શુભગતિને યોગ્ય નીવડ્યું, સાથે તેને સંયમ માર્ગે લઈ જવા નિમિત્ત બન્યું. કેવળ પુણ્યોદયનું મમત્વ ત્યજી શુદ્ધનો પક્ષ અને લક્ષ કરવા જેવું
વાર અનંત ચૂકીયા ચેતન, ઈણ અવસર મત ચૂક, માર નિશાના મોહરાયકી, છાતીમેં મત રૂક. ૪૯
હે સુજ્ઞ ! તું જાણતો હોય કે ન જાણતો હોય પણ આ કાળની લીલાની શૃંખલા અનંત છે. એવા અનંતકાળમાં તને દુર્લભ એવો માનવજન્મ અનંતવાર મળ્યો, પણ તું સ્વરૂપ પ્રાપ્તિના ધ્યેયને ચૂકી ગયો. છતાં કોઈ પુણ્યયોગે તને આ અવસર મળ્યો છે હવે ના ચૂકતો. જન્મ મરણને ચૂકવી દેવા હોય તો હવે તું મોહનીય કર્મને ઘા માર, તેની કોઈ ચેષ્ટામાં લોભાઈને રોકાઈ જતો નહિ.
તું જાણે છે કે તે કંઈ તે તે જન્મોમાં ધર્મારાધન નથી કર્યું એવું નથી. પરંતુ એ સર્વ આરાધનમાં તારું લક્ષ નિશાન સ્વભાવ-સ્વરૂપ પ્રત્યે ન હતું તેથી ચૂકી ગયો. આરાધનથી અઘાતી કર્મોનો સુધારો તને કર્મોના શુભયોગ સુધી લઈ ગયો. એથી તને નામ, ગોત્ર, વેદનીય અને આયુષ્યના શુભ યોગ મળ્યા. પણ પેલા અઘાતી કર્મો તો એવાં એવાં ને રહ્યાં તેમાં પણ મુખ્યતાતો અજ્ઞાનની હતી. એ અજ્ઞાન ટક્યું મોહનીય કર્મના પ્રભાવથી.
હવે જો તારે આ જન્મને વ્યર્થ ગુમાવવો ન હોય. અવસર પામી પ્રમાદ સેવવો ન હોય, આવો અવસર અને આ માનવજન્મ પુનઃ પુનઃ મળવાનો નથી એમ તને લાગતું હોય, તો આ મોહનીય
પુદ્ગલનો પરિહારઃ પરમાર્થની પ્રાપ્તિ
o૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org