________________
પ્રમાણે બોધ આપે. વાર્તાલ્યભરી વાણી બોલે, સત્ય અને મધુરભાષી રહે તો વચન દ્વારા શુભક્રિયા થાય, છતાં તેમાં પોતાપણાનું મમત્વ ન હોવાથી જીવને પ્રાયે બંધ થતો નથી.
શરીર દ્વારા પરોપકારનાં કાર્યો કરે, સેવાભક્તિ કરે, સંયમ આચરે, તપાદિ કરે, શરીરનું મમત્વ છોડે. મન વચન કાયાના યોગને શુભક્રિયામાં પ્રવૃત્ત રાખે. આચરણ જ્ઞાનમય શુદ્ધ હોય તે સાધકનાં જૂનાં કર્મો નિજર છે અને નવાં કર્મોનો બંધ થતો નથી. કર્મબંધનું કારણ મોહનીયકર્મની પ્રકૃતિ છે. તેમાં સવિશેષ તો અહં અને મમતા છે. મોક્ષ સાધકે પ્રથમથી જ મોહરૂપી શત્રુનો શિરચ્છેદ કર્યો છે, તેથી નિર્વિને પોતાના કાર્યમાં આગળ વધે છે.
પુણ્ય અને પાપ બંને બંધનું કારણ હોવા છતાં, પાપ તો અહિતકારી જ છે. તેથી ગીતાર્થજનોએ અહિંસાદિ શુભક્રિયા અને આચરણનો બોધ આપ્યો છે. પરોપકાર જેવાં કાર્યો તે લક્ષ્યનું સાધન છે. સ્વઉપકાર એ શુભભાવ છે. આત્મિગુણોની પ્રાપ્તિ તેનું લક્ષ્ય છે પરાર્થ એ પુણ્ય કર્મ છે અને સ્વાર્થ પાપકર્મ છે. સ્વઉપકાર – સ્વગુણની પ્રાપ્તિ એ સાધ્ય છે. પરોપકાર એ સાધન છે.
મૈત્રી કે ગુણાનુરાગ જેવા શુભભાવથી ચિત્તશુદ્ધિ થાય છે. મમત્વ જેવા દોષોનો પરિહાર થાય છે. શુભભાવથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. જેમ ધનથી ધન વધે છે તેમ મનાદિનો શુભ ઉપયોગ, કે ધનાદિનો શુભ ઉપયોગ પુણ્યનો ભંડાર ખોલી દે છે. વળી તે પુણ્યાત્માઓ એ પુણ્ય વડે પરોપકારાદિ કરી નિસ્પૃહભાવે પુણ્યને પણ ત્યજીને સંયમને માર્ગે પ્રયાણ કરે છે.
પરોપકાર – બીજાને કંઈ આપવું તે પુણ્ય છે. પરંતુ પોતે જ ભોગવવું તે તો પાપ છે, વળી તેમાં પુણ્યનો ખજાનો ખતમ થઈને જીવને શિરે તો પાપ જ બાકી રહે છે. પુણ્યથી મળેલી વસ્તુનો પુણ્યમાર્ગે ઉપયોગ કરવાથી જીવ પુણ્યકર્મથી છૂટે છે. સાંસારિક જીવોના ભાવ અશુદ્ધ હોય છે. સ્વભાવથી શુદ્ધ હોવા છતાં આ મલિનતાનો યોગ થયેલો છે. શુભ ભાવના આશ્રયે જીવ મલિનતાને ટાળતો શુદ્ધ ઉપયોગ તરફ જાય છે. જેમ નિશ્ચયષ્ટિએ પુણ્ય-પાપને સમાન કહ્યા
૨
પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org