________________
કારણ છે, તે આત્માને બંધનરૂપ છે તેમ માની જીવ જો પુણ્યની ઉપેક્ષા કરે તો તેની હજી શુદ્ધભાવની ભૂમિકા નથી અને શુભભાવથી ડરે છે. તો પછી તેને શિરે અશુભભાવ – પાપ જ લખાયેલું રહેશે, જે તેને સુખથી દૂર રાખે તે તો ઠીક પણ સન્માર્ગથી પણ દૂર રાખે છે. યદ્યપિ શુભકર્મો આશ્રવ છે. પરંતુ કોઈ બળવાન આરાધકો જ પાપના ઉદયમાં (ઉપસર્ગમાં) શુદ્ધ ટકી શક્યા છે, જો કે પુણ્ય મોક્ષસાધક નથી. પરંતુ સાધકને તે માર્ગની સામગ્રીનું નિમિત્ત બને છે. માનવજન્મ પણ તે પુણ્યનું જ ફળ છે. નિશ્ચયથી પુણ્ય રહિત ધર્મ તો ચૌદમા ગુણસ્થાને જ છે. તેરમા ગુણસ્થાને પણ અઘાતી કર્મોનો શુભોદય ચાલુ છે અને વળી ત્રણ સમયની ઇર્યાપથ ક્રિયાનું પ્રયોજન ઉદયને કારણે છે. પણ તે ભૂમિકાએ કષાયરહિત ઉપયોગ હોવાથી બંધ નથી એ પુણ્ય એવા પ્રકારનું છે કે નિર્જરતું જાય છે. પુણ્ય એ જીવનો સ્વભાવ કે ધર્મ નથી તેથી શુભોદયમાં જીવ અટકે નહિ તેથી જ્ઞાની પુરુષોએ બંનેમાં આશ્રવસ્થાન બનાવીને તેનો ત્યાગ કરવાનું ઉપદેશ્ય છે.
શુભ કિરિયા આચરણ આચરે, ધરે ન મમતાભાવ નૂતન બંધ હોય નહિ ઈણવિધ, પ્રથમ અરિ શિરઘાવ. ૪૮
શુભ ક્રિયા કરે, આચરણ શુદ્ધ પાળે, છતાં તેના ફળમાં મમત્વ ન કરે. તેને નવો કર્મબંધ થતો નથી, કારણ કે તેણે પ્રથમથી જ મમતારૂપી શત્રુના શિરનો છેદ કર્યો છે.
માનવને મળેલા યોગ દ્વારા જીવ બાહ્ય ક્રિયામાં પ્રવૃત્ત થાય છે. જેમ કે મન દ્વારા કોઈ પદાર્થને વિષે દુર્બાન ન કરે. કોઈ વ્યક્તિ પ્રત્યે દુર્ભાવ ન કરે. વ્યર્થ વિકલ્પ ન કરે. ઈષ્ટ વસ્તુનું આર્તધ્યાન ન કરે, પરંતુ મન દ્વારા તત્ત્વચિંતન કરે, શુભભાવનાઓ કરે. જગતના જીવોની હિતચિંતા કરે, દયાદિભાવ રાખે. મનદ્વારા શુભ પ્રવૃત્તિ કરવા છતાં તે કરવામાં તેનો કર્તાભાવ ન હોવાથી તેમાં અહં કે મમત્વનો દોષ ભળીને આચારને મલિન થવા દેતો નથી, તેના પ્રાયે બંધ થતો નથી.
વચન દ્વારા શાસ્ત્ર સ્વાધ્યાય – અભ્યાસ કરે. અન્યને ભૂમિકા
પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ
૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org