________________
વ્યવહારનય પુણ્ય અને પાપને તેના ફળ–પરિણામથી જુદાં માને છે, ભલે તે આત્માના સ્વભાવરૂપ નથી પણ સંયોગ રૂપ છે તેમ માને છે. સાંસારિક સુખ માટે પણ ધર્માદિ સુકૃત્ય દ્વારા પુણ્યનો સંચય કરવો પડે છે. ઇચ્છા રહિત સહજ શુભભાવની ફુરણા થતાં જે પુણ્યકર્મ બંધાય છે તેને વ્યવહારનય ઉપાદેય માને છે. કારણ કે અશુભભાવ વડે થયેલી પાપપ્રકૃતિ તો જીવને દુઃખ આપવામાં અને નીચગતિમાં લઈ જનારું નિમિત્ત બને છે. જ્યારે ઉત્તમ પુણ્ય વડે મોક્ષસાધક જીવને સન્માર્ગનાં સાધનોનો યોગ મળે છે. વળી એ સુજ્ઞ જીવોને એ પુણ્યમાં સુખબુદ્ધિ નથી તેથી પુણ્ય તેમને લોભાવતું કે સંસારમાં રોકતું નથી. પૂર્વે તે જીવોએ સુકૃત્યાદિનું કોઈ ફળ ઇડ્યું ન હતું. પરંતુ પ્રકૃતિના ધર્મે આવી મળેલી સુખસંપત્તિ તે જીવોને ચલિત કરતી નથી. પૂર્વના સંયમના સંસ્કારને કારણે સુખ ભોગ છતાં તેને સાંયોગિક સંબંધ માની તેનાથી પોતાને ભિન્ન માને છે. અધ્યાત્મનું બળ તેમને પુણ્ય-પાપની સમાનતાનું ભાન કરાવે છે. અથવા તે સાધકજીવોમાં પુણ્ય-પાપની સમાનતા છે તે અધ્યાત્મનું મૂળ છે. અર્થાત્ બંનેનું ફળ સંસારના સુખદુઃખરૂપ છે પણ મુક્તિ નથી. જીવ માત્ર પોતાના કરેલા શુભાશુભ કર્મનાં ફળ ભોગવે છે. બંને કર્મ પ્રકૃતિ ફળદાયી હોવાથી સંસારના પરિભ્રમણનું કારણ છે. ભૌતિક સુખ કે આત્મિક સુખ માટે જીવે પુણ્યકર્મને સ્વીકારવું પડે છે. ભૌતિક સુખવાળો પુણ્યમાં મોહિત થઈ અટકે છે. આત્મદષ્ટિવાળો પુણ્યને પાપની જેમ જ ઉલ્લંઘી જાય છે.
કોઈ વિચાર કરે કે આ મનાદિ યોગની ક્રિયાઓને છોડી દઉં, કે કર્મના ફળને ત્યજી દઉં તો તે સંભવ નથી. જૂના કર્મનું ફળ અને નવીન કર્મનો બંધ એમ ચક્ર ચાલ્યા કરે છે. આત્માને આવા બંધનમાં નાંખનાર આત્માનાં જ શુભાશુભ પરિણામ છે. અર્થાત્ કર્મફળનું બીજ વાવનાર સ્વયં આત્મા જ છે. તેથી તેના ઉદય વખતે જો હર્ષ-શોક કે સુખ દુઃખનો ભાવ કર્યા વગર અનાસક્ત રહે તો પાપ-પુણ્ય બંને બંધન તૂટે છે.
ધર્મઅનુષ્ઠાનો વડે શુભભાવ થાય છે અને શુભભાવ પણ બંધનું
@૦
પુગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org