________________
શુભાશુભભાવ થતા હોય છે. તેનું પરિણામ પુણ્યપાપરૂપે આવે છે ત્યારે જીવ શુભયોગે મળેલા સાંસારિક સુખને ઇચ્છતો નથી. તે પુણ્યયોગમાં પણ અધ્યાત્મ પ્રત્યે દૃષ્ટિ રાખે છે.
યદ્યપિ માનવજન્મ ધર્મની રુચિ, મોક્ષમાર્ગનાં સાધનો, પુણ્યયોગના નિમિત્તથી મળે છે. એટલે માનવજન્મ મળવા છતાં જો પુણ્યકર્મ ભેગું ન કરે તો અશુભ ગતિ પામે, પુણ્યકર્મ નષ્ટ થવાથી જીવ દુઃખ પામે છે. માનવજીવનના દરેક કાર્ય માટે પુણ્યકર્મની જરૂર પડે છે. પૌદ્ગલિક સાધનો મેળવવા પણ પુણ્યની જરૂર પડે છે. પણ જો તે પુણ્યના ફળમાં સાંસારિક સુખ ઇચ્છે તો તેનું પુણ્ય હીન બનતું જાય છે. વળી ધર્મમાર્ગનાં સાધનો પુણ્યથી મળે છે. તે પુણ્યને જો તે વેડફી નાંખે તો ધર્મમાર્ગથી દૂર થઈ અકાર્ય કરવા પ્રેરાય છે. ઉત્તમ પુણ્ય સાધકને સહાયક બને છે.
આવા પુણ્યપાપના ચક્રાવાને જે એકરૂપ જાણે છે તે પુણ્યના પ્રલોભનમાં પટકાઈ પડતા નથી. અધ્યાત્મનું બળ તેને ભાન કરાવે છે. ભાઈ, પાપથી પ્રથમ દુઃખ છે. અને પુણ્યના ભાગ પછી પાછળથી દુ:ખ છે. વાસ્તવમાં બંને કર્મ પ્રકૃતિ હોવાથી જ્ઞાની બંનેને સમાન ગણે છે.
નિશ્ચયનય પ્રમાણે આત્મા સ્વભાવથી પુણ્યરૂપે કે પાપરૂપ નથી. આત્મા ચૈતન્યસ્વરૂપ છે. પુણ્ય સુખ આપનાર કેમ કહેવાય ? કારણ કે પુણ્યથી ભલે ઉચ્ચ ગોત્રમાં જન્મ મળે, પણ જન્મ એ સ્વયં દુઃખનું કારણ છે. તેથી પરમાર્થથી તે સુખરૂપ નથી. જેના ફળમાં કર્મ ઉપર આધાર રાખવો પડે તે પુણ્યથી પણ સુખ નથી.
સુકૃત્યથી પુણ્ય અને પુણ્યથી શુભકર્મ તે તો કર્મનો વિપાક છે. તેમાં સુખ શું હોય ! જેમ ગરમ કરેલા લોઢા ઉપર પાણીનાં ટીપાં શોષાઈ જાય છે, તેમ અનંત તૃષ્ણાયુક્ત વિષયોમાં ઇન્દ્રિયોને મળતું થોડું સુખ તો ક્યાંય શોષાઈ જાય છે. તેથી સુખદુઃખરૂપ છે. પાપજનિત અને દુઃખનાં દુઃખ પરિણામવાળું પુણ્ય બંને સમાન છે. આત્મા તેનાથી તદ્દન ભિન્ન છે. તેના સ્વભાવમાં પુણ્ય પાપની પ્રકૃતિનો ગુણ નથી.
પુગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ
૬૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org