________________
સત્સંગ જેવા સરળ ઉપાયો યોજી આગળ વધ.
કોઉ કૂપમેં પડી મૂવે જિમ, કોઉ ગિરિ ઝંડા ખાય, મરણ બે સરિખા જાણીએ પણ, ભેદ દોઉ કહેવાય. ૪૬ પુણ્ય પાપ પુગલ દશા ઇમ, જે જાણે સમ તુલ શુભ કિરિયા ફળ નવિ ચાહે એ, જાણ અધ્યાતમ-મૂલ. ૪૭
અર્થાત્ કોઈ જીવનથી કંટાળીને કૂવામાં પડીને મરે કે પર્વત પરથી ઝંપાપાત કરે બંને એક મરણના જ ભેદ છે. તેમાં કોઈ અંતર નથી.
તેમ પુણ્ય અને પાપ બંને કર્મપ્રકૃતિનું પરિણામ હોવાથી તે પુદ્ગલજન્યદશા છે. પ્રજ્ઞાવંત એમ જાણે છે કે પુણ્ય અને પાપ એ સંસારનાં બંધન છે. તેથી પુણ્ય કરીને તેનું સાંસારિક ફળ ઇચ્છવું નહિ તે અધ્યાત્મનું મૂળ છે.
કોઈ જીવને એમ થાય કે મને મુક્તિ મળવામાં આ દેહ બાધા કરે છે, માટે કૂવામાં પડીને કે પર્વત પરથી ઝંપાપાત કરીને શીઘ્રતાએ શુભગતિ પામું ! આ બંને પ્રકાર મરણના છે, વળી તેવું અજ્ઞાન વડે કરેલું મોત કંઈ સુખનું કારણ બનતું નથી, કે શુભગતિનું કારણ બનતું નથી.
જો તારે ભવિષ્યમાં સુખ જોઈએ તો વર્તમાનમાં થોડું કષ્ટ વેઠીને પણ દાન, શીલ, તપ, જેવા અનુષ્ઠાન કર. જેમ ખેડૂત ખેતરમાં આજે અનાજ વાવે તો તેને બીજે દિવસે તેનું ફળ પ્રાપ્ત થતું નથી. તે વાવેલા બીજને ખાતર પાણી આપે, ધીરજ રાખી તેની સંભાળ રાખે તો તેને યોગ્ય સમયે . વાવેલા કણ મણરૂપે પરિણામ આપે છે. તેવી રીતે પૂર્ણ કે પાપ કરનારને પણ તરત જ ફળ મળતું નથી. વર્તમાનમાં પૂર્વનાં ફળ ભોગવે છે અને વર્તમાનમાં કરેલાં કર્મનાં ફળ ભવિષ્યમાં પ્રાપ્ત થાય છે.
જેમ બંને મરણના ભેદ છતાં સમાન છે, દુઃખદાયી છે તેમ પુણ્ય-પાપ બંને પૌદ્ગલિક હોવાથી સમાન છે, તેમ જેની સમજમાં આવે છે તે અધ્યાત્મના મૂળને જાણે છે. સકર્મક અવસ્થામાં જીવને
૬૮
પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org