________________
દુ:ખ આવે છે ક્યાંથી, કોણ આપે છે ? દુ:ખનો સર્જનહાર અજ્ઞ જીવ છે. જગતસ્થિતિનો નિયમ છે કે દરેકને પોતાનાં કરેલાં કર્મોથી દુ:ખ આવે છે. કોઈ દુઃખ આપી કે લઈ શકતું નથી. કોઈ નિમિત્ત પર આરોપ મૂકીને જીવ માને છે કે મને દુઃખ આપનાર, કોઈ અન્ય છે. પરંતુ જીવે સુખ મેળવવા સુખનાં સાધન મેળવવા જે કંઈ છળ પ્રપંચ કર્યાં હોય, હિંસાદિ અપકૃત્યો કર્યાં હોય, અન્ય જીવને દુઃખ આપવાનાં કાવતરાં કર્યાં હોય, મોહાસક્ત થઈને ધન સંપત્તિનો જ આકાંક્ષી રહ્યો હોય, દાન પરોપકાર જેવાં કૃત્ય તો તે કરી શક્યો જ ન હોય, વ્યસન જેવા દુરાચારમાં ભાન ભૂલ્યો હોય, માનવતા જેવા ગુણોનો આદર ન કર્યો હોય, સજ્જતા કેળવી ન હોય, પરમ તત્ત્વ પ્રત્યે ભક્તિથી ઝૂક્યો ન હોય, ગુણવાનો પ્રત્યે આદર ન સેવ્યો હોય, ભક્ષ્યાભક્ષ્યનો વિવેક સાચવ્યો ન હોય, પોતાને થોડું સુખ મળે તો અન્યના દુઃખનો જેને વિચાર કર્યો નથી. પોતાના સો રૂપિયાના નુકસાનને બચાવવા બીજાને હજારનું જેણે નુકસાન કર્યું હોય, અન્યનું અહિત ચિંતવ્યું હોય, અસત્યાચરણ કર્યું હોય, અન્ય સાથે વેરભાવ રાખ્યો હોય, દ્વેષ મત્સર ધર્યો હોય, તેને પાપ પ્રકૃતિનો બંધ થતાં યોગ્યકાળે તેનું દુઃખરૂપ ફળ આવે છે.
કોઈ ખેડૂત વર્તમાનમાં ઘઉંની રોટલી ખાતો હોય પણ ખેતરમાં તે જુવાર વાવી રાખે તો ભવિષ્યમાં તેને જુવારની જ રોટી ખાવી પડે છે. તેમ પુણ્યના યોગમાં પાપાચરણ સેવનારને દુઃખ ભોગવવું પડે છે.
આવાં અનેક દુષ્કાર્યો અને દુર્ભાવથી જે પરિણામ કર્યા તેના ફળરૂપે તું દુઃખ પામ્યો છે તેમ અંતરયામી કહે છે. હવે તારે દુઃખ ન જોઈતું હોય તો ઉપરના સર્વ કારણોને ત્યજી દે અને સદાચારને માર્ગે વળી જાય. સંતોના સમાગમમાં રહેતો થા. ભક્તિ જેવાં સત્કાર્યોમાં મનને જોડી દે. દાન પરોપકારનાં કાર્યોમાં રુચિ કર. અને આખરે જીવનશુદ્ધિ કરી લે જેથી આત્મિક સુખની પ્રાપ્તિ થાય. વળી મનને સંયમમાં રાખશે તો તેનું સુખ તો તત્કાળ પ્રાપ્ત થાય છે. તને પ્રારંભમાં સંયમ દુર્લભ લાગતો હોય તો પરોપકાર; ભક્તિ
પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ
Jain Education International
For Private & Personal Use Only
૬૦
www.jainelibrary.org